શહેરના સ્વામિનારાયણ ચોક નજીક આવેલા કૃષ્ણનગર શેરી નં.8 માં રહેતા ધીરુભાઈ કુરજીભાઈ સિતાપરા (ઉ.વ.67) તા. 24ના રોજ સવારના સાડા આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા અચાનક બેભાન થઈ ગયા હતા. તેઓને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. અત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરુ તથા હાજર સ્ટાફે નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરુએ મૃતકના પરિવારજનોને ચક્ષુદાન અંગે સમજ આપી હતી જેથી પરિવાર સહમત થયો હતો અને ધીરુભાઈના ચક્ષુઓનું દાન કરાયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy