નવી દિલ્હી,તા.10
નાણામંત્રી નિર્મલા સિતારામને શુક્રવારે બેન્કોને જણાવ્યુ હતું કે, ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તનાવને જોતા તેઓ એલર્ટ રહે અને કોઈ ફરિયાદો વિના ગ્રાહકોને સર્વીસ આપતી રહે. બેન્કો અને વીમા કંપનીઓના સીઈઓ સાથે સાઈબર સિકયુરીટીની તૈયારીઓ પર મિટીંગમાં નાણામંત્રીએ મુશ્કેલ સમયમાં આર્થિક સ્થિરતા જાળવી રાખવામાં બેન્કીંગ અને નાણાંકીય ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર જોર દીધુ હતું.
તેમણે કહ્યુ હતું કે, બેન્કીંગ સેવાઓ કોઈ જાતની રૂકાવટ વિના ચાલતી રહેવી જોઈએ.ઈમરજન્સી માટે બનાવવામાં આવેલ પ્લાનને અપડેટ અને ચેક કરવામાં આવે જેથી કોઈપણ પ્રકારની પરેશાનીનો નિકાલ કરી શકાય.સીતારામને બેન્કોને બોર્ડર વિસ્તારમાં કામ કરનાર પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારની સુરક્ષાનો પણ ખ્યાલ રાખવાનું કહ્યું હતું.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સીતારામને બેન્કોને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરવા અને પોતાની સુરક્ષાનું પૂરૂ ધ્યાન રાખવાનો નિર્દેશ આપ્યો છે.
આ હાઈ લેવલ મીટીંગમાં તેમણે બેન્કોને કહ્યું કે, સામાન્ય જનતા અને બિઝનેસને કોઈપણ પ્રકારની પરેશાની ન થવી જોઈએ.એટીએમમાં પર્યાપ્ત કેશ હોવી જોઈએ.
યુપીઆઈ અને ઈન્ટરનેટ બેન્કીંગની સુવિધા કોઈ જાતની પરેશાની ચાલતી રહેવી જોઈએ. મીટીંગમાં નાણામંત્રીએ કામકાજ અને સાઈબર સુરક્ષાની તૈયારીની વિગત મેળવી હતી.
બેન્કોએ કહ્યું-એટીએમમાં પૂરતી રોકડ
ભારત-પાક. વચ્ચે વધતા તનાવથી આવનારા દિવસોમાં એટીએમ બંધ થવાની અફવાનું ખંડન
નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેન્ક પંજાબ નેશનલ બેન્ક, અને અન્ય બેન્કોએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમના એટીએમ પુરી રીતે ચાલુ છે. તેમાં પુરતી રોકડ છે અને ડિઝીટલ સેવાઓ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે.
સોશ્યલ મિડિયામાં આવેલી ખબરોને લઈને આ નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત-પાક વચ્ચે વધતા તનાવનાં કારણે આવનારા દિવસોમાં એટીએમ બંધ થઈ શકે છે. બેન્કોએ પણ જણાવ્યું હતું કે તેની બધી ડિઝીટલ સેવાઓ સારી રીતે ચાલી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy