ફિરોઝપુર : ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવ વચ્ચે, 9 મે 2025 ના રોજ ફિરોઝપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની. શુક્રવારે સાંજે ફિરોઝપુરના રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવતા એક પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો, અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ ડ્રોન હુમલો ત્યારે થયો જ્યારે પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદ પર અનેક સ્થળોએ ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા. ફિરોઝપુરમાં ડ્રોનથી એક ઘરમાં આગ લાગી.
જેમાં એક મહિલા ગંભીર રીતે દાઝી ગઈ જ્યારે અન્ય બે સભ્યોને સામાન્ય ઈજાઓ થઈ. સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ ઓલવવાનો પ્રયાસ કર્યો અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.
ફિરોઝપુરના એસએસપી ભૂપિન્દર સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે, "અમને ત્રણ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. તેમને દાઝી જવાની ઇજાઓ થઈ છે અને ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે. મોટાભાગના ડ્રોનને સેના દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યા છે."
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy