(ભરત ગોહેલ) જામજોધપુર, તા. 21
જામજોધપુર તાલુકાના વિવિધ ગામો જેવા કે કડબાલ, ભુપત આંબરડી, જામ આંબરડી ગામે નલ સે જલ યોજના અંતર્ગત ખેડુતોના ખેતરના ઉભા પાકમાંથી પાઇપલાઇન નાખવામાં આવેલ છે. આ પાઇપલાઇન નાખતા પહેલા વળતરના ભાવ માટે પાણી પુરવઠા અધિકારીઓ દ્વારા ખેડુતો સાથે વાતચીત કરી ભાવ નકકી કરવામાં આવેલ.
પરંતુ ત્યારબાદ કોન્ટ્રાકટર અને અધિકારીઓની મેલી મુરાદના કારણે કામ મોડુ ચાલુ કરી નકકી કરેલ રકમના પ0%થી પણ ઓછી રકમ ખેડુતોને ચુકવવામાં આવેલ છે. ખેડુતોના ખેતરમાં જે પાઇપલાઇન નાખવામાં આવેલ છે તેના વળતર ચુકવવા માટે કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ વળતરની ગણતરી પણ ભુલ ભરેલ છે.
આમ અધિકારીઓ અને કોન્ટ્રાકટર દ્વારા ખેડુતો સાથે છેતરપીંડી કરવામાં આવેલ છે.આ અંગે ધારાસભ્ય હેમતભાઇ ખવા દ્વારા ખેડુતોને યોગ્ય વળતર ચુકવવા માટે અગાઉ પણ ફરિયાદ અને સંકલનની બેઠકમાં પણ રજુઆત કરેલ હતી પરંતુ હજુ સુધી ખેડુતોને કોઇ પણ વળતર ચુકવવામાં આવેલ નથી. આમ ખેડુતો સાથે વિશ્વાસઘાત થયેલ હોય તેવું પ્રતીત થાય છે.
આથી ખીેડુતોને પોતાના પાક નુકસાનીનું યોગ્ય વળતર મળી રહે તે માટે આ અંગે યોગ્ય તપાસ કરી કોન્ટ્રાકટર વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરી ખેડુતોને પુરતુ વળતર ચુકવવામાં આવે અન્યથા આ બાબતે ધારાસભ્ય હેમતભાઇ ખવા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે તેમ જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy