નવી દિલ્હી,તા.26
સરકારે જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ (પ્રોસિજર) રૂલ્સને નોટિફાઇ કરી દીધા છે. તેમાં હાઇબ્રિડ મોડમાં અરજીઓનું ઇ-ફાઇલિંગ અને હિયરિંગ ફરજિયાત કરવાની વાત કરવામાં આવી છે. નિયમોમાં જણાવાયું છે કે, જો કોઈ અરજદારે બપોરે 12 વાગ્યા પહેલાં તાકીદની અરજી દાખલ કરી હોય તો તેને આગામી કાર્યકારી દિવસે એપિલેટ ટ્રિબ્યુનલ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવશે.
શરત એ છે કે અરજીમાં જરૂરી માહિતી આપવામાં આવી છે અને તે દરેક રીતે પૂર્ણ હોવી જોઈએ. કેટલાક કિસ્સાઓમાં, આગામી કાર્યકારી દિવસે લિસ્ટિંગ માટેની અરજીઓ પણ બપોરે 12 વાગ્યા પછી સ્વીકારી શકાય છે, પરંતુ તે બપોરે 3 વાગ્યાથી મોડી ન હોવી જોઈએ. શરત એ છે કે આ માટે એપિલેટ ટ્રીબ્યુનલના પ્રેસિડેન્ટની વિશેષ મંજૂરી લીધી હોવી જોઈએ.
એપેલેટ ટ્રિબ્યુનલ બેંચની કાર્યવાહી સવારે 10:30 થી બપોરે 1:30 અને ત્યારબાદ બપોરે 2:30 થી 4:30 દરમિયાન યોજાશે. પ્રેસિડેન્ટના આદેશથી આ બદલાઈ શકે છે. અપીલેટ ટ્રિબ્યુનલની વહીવટી કચેરીઓ તમામ કાર્યકારી દિવસોમાં સવારે 9:30 થી સાંજનાં 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ગયા વર્ષે મે મહિનામાં સરકારે ઝારખંડ હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સંજય કુમાર મિશ્રાને જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલના પ્રથમ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.
જીએસટી ટ્રિબ્યુનલ પાસે સેન્ટ્રલ જીએસટી એક્ટ, 2017 અને સંબંધિત રાજ્યોના જીએસટી એક્ટ હેઠળની અપીલો પર સુનાવણી કરવાનો અધિકારક્ષેત્ર છે. અહીં પ્રથમ એપેલેટ ઓથોરિટીના આદેશોને પડકારી શકાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy