કોરોનાથી થયેલા મોત અંગે ગુજરાતે સૌથી વધુ ખોટા આંકડા આપ્યા: CRS રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Gujarat | Ahmedabad | 10 May, 2025 | 12:11 PM
ભારતમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુઆંક છુપાવવામાં આવ્યો, 2021માં નોંધાયેલા 3.32 લાખ સામે વાસ્તવિક મૃત્યુઆંક 19.73 લાખથી વધુ, ગુજરાત મૃત્યુઆંક છુપાવવામાં સૌથી આગળ, વાસ્તવિક મૃત્યુ 33.6 ગણા વધુ
સાંજ સમાચાર

અમદાવાદ : 
ભારતમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુઆંક સંબંધિત ડેટાને લઈને એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે દેશના તમામ રાજ્યોમાં કોરોના મહામારી સંબંધિત મૃત્યુઆંક ઓછો દર્શાવવામાં આવ્યો હતો, અને વાસ્તવિક મૃત્યુ સંખ્યા સરકારી આંકડાઓ કરતા અનેક ગણો વધારે હતો.

ભારતમાં કોરોનાથી મૃત્યુ 
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર, જે 2021 માં આવી હતી, તે દરમિયાન સરકારી ચોપડે નોંધાયેલો મૃત્યુઆંક વાસ્તવિકતાથી ઘણો દૂર હતો. 2021 માં, દેશભરમાં કોરોના દરમિયાન અધિકૃત મૃત્યુઆંક 3,32,468 હતો.

જોકે, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ ચોંકાવનારા છે. CRS રિપોર્ટ અનુસાર, 2021 માં દેશભરમાં કુલ 19,73,947 મૃત્યુ થયા હતા, જે અધિકૃત આંકડાઓ કરતા લગભગ 6 ગણા વધુ છે. આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોરોના મહામારી દરમિયાન દેશના દરેક રાજ્યમાં મૃત્યુઆંક ઓછો દર્શાવવામાં આવ્યો હતો.

CRS દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર, 2021 માં કોરોનાથી થતા મૃત્યુના આંકડા છુપાવવામાં ગુજરાત રાજ્ય મોખરે હતું. ગુજરાતે આ વર્ષે રાજ્યમાં આશરે 6 હજાર મૃત્યુનો આંકડો રજૂ કર્યો હતો, પરંતુ વાસ્તવમાં તેના કરતા 33.6 ગણા વધુ મૃત્યુ નોંધાયા હતા.

ગુજરાત સરકારે અધિકૃત રીતે 2021માં 5809 મૃત્યુ નોંધાયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ હવે જે CRS અહેવાલ બહાર આવ્યો છે તે મુજબ, 2021માં ગુજરાતમાં કુલ 1,95,406 મૃત્યુ થયા હતા.

અન્ય રાજ્યોમાં પણ ડેટા છુપાવવામાં આવ્યો
કોવિડ દરમિયાન મૃત્યુઆંક છુપાવવામાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય ઘણા રાજ્યો પણ સામેલ હતા. CRS ડેટા મુજબ, ગુજરાત પછી, મધ્યપ્રદેશ આ બાબતમાં બીજા ક્રમે રહ્યું. 2021 માં મધ્યપ્રદેશમાં અધિકૃત મૃત્યુઆંક 6927 હતો, જ્યારે વાસ્તવિકતામાં અહીં 1,26,774 મૃત્યુ થયા હતા.

તેવી જ રીતે, પશ્ર્ચિમ બંગાળમાં અધિકૃત મૃત્યુઆંક 10,052 હતો, જ્યારે અહીં 1,52,094 મૃત્યુ નોંધાયા હતા. બિહારમાં પણ અધિકૃત રીતે 10,699 લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં અહીં 1,35,391 લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશમાં અધિકૃત રીતે 14,563 મૃત્યુ નોંધાયા હતા, પરંતુ CRS રિપોર્ટ મુજબ અહીં 1,03,108 મૃત્યુ થયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj