દેશમાં ત્રાસવાદી પ્રવૃતિ માટેનું ફંડીંગ માદક દ્રવ્યોના વ્યાપારથી મેળવાય છે

પહેલગામ હુમલામાં ગુજરાત લિંક : મુદ્રા બંદરે ઝડપાયેલુ 21000 કરોડનું ડ્રગ્સ ટેરર ફંડીંગ માટે હતુ

India, Gujarat | 26 April, 2025 | 05:14 PM
≈ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા સુપ્રીમકોર્ટ સમક્ષ ઘટ્ટસ્ફોટ : લશ્કરે તોયબાની એક વિંગ માદક દ્રવ્યોની તસ્કરીમાં : અફઘાનીસ્તાનથી ડ્રગ મેળવી ઈરાનના માર્ગે ભારતમાં ઘુસાડાય છે
સાંજ સમાચાર

≈ પાક.ની જાસૂસી એજન્સી આઈએસઆઈનો પણ સાથ : દિલ્હીમાં પણ બે સ્થળોએ ડ્રગના સ્ટોરેજ હોવાનો ધડાકો: ટેરર ફંડીંગનું જબરુ નેટવર્ક

નવી દિલ્હી તા.26
પહેલગામમાં થયેલા આતંકી હુમલાનું કનેકશન છેક ગુજરાત સુધી પહોંચ્યું છે અને રાજયમાં જે રીતે મોટાપાયે માદક દ્રવ્યો દરિયાકિનારા સહિતના ક્ષેત્રમાંથી ઝડપાઈ છે તેમાં આતંકી ભંડોળનું એંગલ પણ ખુલ્યો છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ આ અંગે સુપ્રીમકોર્ટમાં દાખલ કરેલા એક સોગંદનામામાં જણાવ્યું હતું કે, પહેલગામ ત્રાસવાદી હુમલો એ લશ્કરે તોયબાના નાર્કો બિઝનેસ સાથે જોડાયેલુ છે.

પાકીસ્તાનની આઈએસઆઈ એજન્સીનો પણ ટેકો છે. ખાસ કરીને ભારતમાં ત્રાસવાદીઓની પ્રવૃતિ માટે ભંડોળ પુરુ પાડવા ઉપરાંત પાકિસ્તાનમાં પણ ત્રાસવાદી સંગઠનોને ભંડોળ મળી રહે તે માટે માદક દ્રવ્યોનો મોટો બીઝનેસ આ ત્રાસવાદી સંગઠનોના હાથમાં ગયો છે અને તેઓ એક યા બીજા રૂટ પરથી ભારતમાં માદક દ્રવ્યો ઘુસાડીને તેમાંથી જંગી રકમની કમાણી કરે છે.

સર્વોચ્ચ અદાલત સમક્ષ થયેલા ઘટ્ટસ્ફોટમાં જણાવાયુ છે કે, સમગ્ર બિઝનેસને પાકની જાસૂસી એજન્સી આઈએસઆઈનું પીઠબળ છે. એનઆઈએએ સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ સૂર્યકાન્તની ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાં મુંદ્રા બંદર પર જે 3000 કીલોનું નાર્કોટીક તેની બજાર કિંમત રૂા.21000 કરોડ થાય છે તે લશ્કરે તોયબાના નાર્કો બિઝનેસનો જ એક ભાગ હતો.

અફઘાનીસ્તાનથી મેળવાયેલુ આ ડ્રગ ઈરાનના માર્ગે ટેલકમ પાવડરના સ્વરૂપમાં દર્શાવીને ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ થયો હતો. એડીશ્નલ સોલીસીટર જનરલ ઐશ્વર્યા ભટ્ટીએ આ રજુઆત સુપ્રીમકોર્ટ સમક્ષ કરતા જણાવ્યું કે પહેલગામમાં જે બન્યુ તે લશ્કરે તોયબાનું જ કૃત્ય છે.

ઈરાનીયન મધ્યસ્થી મારફત આ પ્રકારે ડ્રગ મોકલાય છે અને દિલ્હીમાં પણ તે અલીપુર અને નબ-સરાઈમાં સ્ટોર થાય છે અને તેના વેચાણના નાણા અંતે ત્રાસવાદના ભંડોળમાં જાય છે.

આમ બે રીતે ભારતને ફટકો પાડવાની કોશીશ થાય છે. પ્રથમ નાર્કોટીકથી ભારતના યુવા વર્ગને બંધાણી બનાવીને તેમને બર્બાદ કરવાનો અને ત્રાસવાદી હુમલાથી કાશ્મીર સહિતના સ્થળોને અસલામત કરવાનો તેમનો વ્યુહ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj