સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માર્ચ-2025મા લેવાયેલી માસ્ટર ડિગ્રી ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષામા ચારણી સાહિત્ય વિષય સાથે હરદેવદાન કિશોરદાન ગઢવી ફર્સ્ટ ક્લાસ પાસ થયા છે. હરદેવદાનના પિતા ડો. કિશોરદાન ગઢવી ચારણી સાહિત્યના પ્રખર વિદ્વાન સંપાદક સંશોધક અને વિવેચક છે.
તથા અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવાના અધ્યક્ષ છે. અને તેના પિતાના પગલે ચાલી હરદેવદાન ગઢવી ચારણી સાહિત્ય સંપાદન સંશોધન વિવેચન ક્ષેત્રે પગરવ માંડી રહ્યાં છે.
ત્યારે સમસ્ત મોરબી ચારણ તથા ચારણી સાહિત્યના વિદ્વાનો યશવંતભાઈ લાંબા, ડો.તીર્થંકર રોહડિયા, ડો. ભાવેશ જેતપરીયા, ડો. એલ.એમ. કણજરીયા, પ્રફુલભાઈ બારહટ, રતનદાન બારહટ, પ્રભાતદાન મિસણ, કુલદિપદાન રોહડિયા, ભરતદાન નાંધુ, લખુભાઇ ટાપરીયા, મુકેશભા મારુ, સંજયભા નાંદણ, વિનુભાઈ ગઢવી વગેરે સમાજ અગ્રણીઓ તરફથી હરદેવદાનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy