અમદાવાદ,તા.21
ગુજરાતમાં જાન્યુઆરીથી માર્ચ 2025 એમ ત્રણ મહિનામાં હૃદય રોગના હુમલા સહિતની કાર્ડિયાક ઈમરજન્સીમાં 16 ટકાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં કુલ 23,731 દર્દીઓને હૃદય રોગની તકલીફ થતાં ઈમર્જન્સીમાં 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
ગત વર્ષ 2024માં આ જ ત્રણ મહિનાના સમય ગાળામાં 20,404 ઈમર્જન્સી નોંધાઈ હતી. આમ ગત વર્ષે રોજના 226 કોલ્સ હતા, જે આ વખતે વધીને રોજના 264 કોલ્સ થયા છે. ઈમરજન્સી કોલ્સમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરો સામેલ છે.
આ સમયગાળામાં શ્વાસ લેવામાં તકલીફ સંબંધિત ઈમરજન્સીમાં 10.42 ટકાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ માસમાં 34,124 ઈમર્જન્સી કેસ નોંધાયા છે. જે ગત વર્ષે 30,903 કેસ હતા. એકંદરે ગુજરાતમાં હૃદય રોગ સહિતની અન્ય બીમારીમાં ઈમર્જન્સી ખૂબ વધી રહી છે અને જે ચિંતાજનક છે.
તબીબોના મતે યુવાનોના હૃદય અત્યારથી જ ઉંમર લાયક થયા છે. ઝડપી અને અનિયમિત જીવન શૈલી, સ્ટ્રેસ, આલ્કોહોલનં સેવન, સ્મોકિંગ, ફાસ્ટ ફૂડ સહિતના વિવિધ કારણો તેના માટે જવાબદાર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy