ધ્રાંગધ્રા સરવાલ ગામથી મેથાણ રોડ પર આવેલી નર્મદા કેનાલમાંથી પાણી ઉભરાઈને ખેતરોમાં ફરી વળતા પાકને ભારે નુકશાન

Local | Surendaranagar | 13 December, 2024 | 01:27 PM
કેનાલ ઉભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કરાઈ માંગ
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.13
 સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સરવાલ ગામથી મેથાણ રોડ ઉપર આવેલી નર્મદા કેનાલમાંથી અવારનવાર પાણી ઉભરાઈને આસપાસના ખેતરોમાં ફરી વળે છે. જેના કારણે ખેડૂતોને પાણીની જરૂરિયાત ના હોવા છતાંય સતત પાણી ભરાઈ રહેવાના કારણે વાવેલા પાક અને ખેતીની જમીનને ભારે નુકશાન થાય છે

આમ એક તો ચોમાસામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવી પડી છે. સર્વેમાં અને વળતર ચૂકવવામાં પણ ધાંધિયા થયા છે.એવામાં વળી હાલ મહામહેનતે ખેડૂતોએ વાવેલા પાકમાં જરૂરિયાત વગર સતત કેનાલના પાણી ઉભરાતા હોવાથી ભારે નુકશાન વેઠવાનો વારો આવી શકે છે. જેથી સરવાળના રમેશ રતિલાલભાઈ પટેલ સહિતના ખેડૂતોએ તંત્ર દ્વારા કેનાલ ઉભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે એવી માંગ ઉઠી છે.

આ ઉપરાંત કેનાલ ઓવરફ્લો થવાના કારણે મેથાણ રોડ ઉપર પણ ચોમાસાની જેમ પાણી ભરાયા હતા. તેમજ લાખો લીટર પાણીનો વેડફટ પણ થયો હતો અને ખેડૂતોને ચાલે એવો રસ્તો પણ રહ્યો ન હતો. આમ બીજા ખેડૂતોને પણ મુશ્કેલી ભોગવવી પડી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj