ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છતાં બાંગ્લાદેશીઓ કઇ રીતે ઘુસ્યા? સુરત મનપાની સભામાં રાજકીય હોબાળો

Gujarat | Surat | 01 May, 2025 | 11:18 AM
આતંકવાદી હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલિ બાદ નિવેદનબાજી : ભાજપના કોર્પોરેટરે ‘આપ’ના સભ્યોને દેશદ્રોહી કહેતા ડખ્ખો
સાંજ સમાચાર

સુરત, તા. 1
સુરત મહાનગપાલિકાની સામાન્ય સભામાં પહેલગામમાં આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા 28 પ્રવાસીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. દરમિયાન વિપક્ષના કોર્પોરેટરોએ હુમલાને મુદો બનાવી ભાજપ શાસકોને ધેરવાનો પ્રયાસ કરતા મામલો ગરમાયો હતો. જેને પગલે પક્ષાપક્ષીથી દુર રહી મૃત્કોને શ્રધ્ધાજલી અર્પીત કરવાની ટકોર મેયર દ્વારા કરવામાં આવી હતી.

આપના કોર્પોરેટરોને ભાજપના સભ્ય વ્રજેશ ઉનડકટે દેશદ્રોહી કહેતા સભા થોડા સમય માટે તોફાની બની હતી. વિપક્ષના કોર્પોરેટર શબ્દો પાછા ખેચવાની માંગણી કરી હતી. વ્રજેશ ઉનડકટે શબ્દો પાછા નહી ખેચતા હોબાળો મચી હતો.

મેયર દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન મેયર દક્ષેશ માવાણી ભેદભાવ કરી પદની ગરીમા જાળવતા ન હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.

આતંકવાદી હુમલાના મૃત્કોને શ્રધ્ધાંજલિ આપતા સમયે આપના કોર્પોરેટર મહેશ અણધડે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે અન્ય કરતા જણાવ્યું હતું કે, આતંકવાદની કમર તોડવા માટે નોટબંધી કરવામાં આવી હોવાનું ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો હવે આતંકી હુમલા કેમ અટકતા નથી. જમ્મુ-કશ્મીર માંથી 370 કલમ દૂર કર્યા બાદ પણ આતંકી હુમલા ચાલું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તો ગેરકાયદે બાંગ્લાદેશીઓ ગુજરાતમાં કેવી રીતે ઘુસી ગયા. દેશની સુરક્ષાની સાથે રાજયની સીમાની પણ સુરક્ષા કરવાની જરૂર છે. સુરતના સદગત શૈલેષ કળથિયાના પત્નીએ જાહેરમાં કહ્યું હતું કે, અમારા ઘરનો આધાર સ્થભ રહ્યો નથી. હવે મારા પુત્ર અને પુત્રીના ભવિષ્યનું શું થશે? ભાજપના આગેવાનો સ્થળ પર હાજર હોવા છતા તેમણે બાળકોના ભવિષ્યની જવાબદારી સ્વીકારી નહોતી. તે ખુબ દુ:ખદ વાત છે.

વિપક્ષના આક્ષેપનો જવાબ આપતા ભાજપના સભ્ય વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, પાકીસ્તાનને જવાબ આપવા માટે ભારતની આર્મીએ સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. ત્યારે દેશની સેના પાસે પુરવા માગવામાં આવ્યા હતા. દેશની સૈના સામે સવાલો કરનારા લોકો આતંકવાદ દુર કરવાની માંગણી કરી રહ્યા છે, એવું કહી વ્રજેશ ઉનડકટે તમે બધા દેશદ્રોહી છે. એવી ટકોર કરતા વિપક્ષના કોર્પોરેટરોએ હોબાળો મચાવી દીધો હતો. વિપક્ષના સભ્યોએ શબ્દો પાછા ખેંચવાની માંગણી કરી હતી.

વ્રજેશ ઉનડકટે શબ્દો પાછા નહી ખેંચતા મામલો ગરમાયો હતો અને વિપક્ષે સભ્યએ સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. પરંતુ મેયર દક્ષેશ માવાણીએ વ્રજેશ ઉનડકટે સામે પગલા ભરવાના બદલે વિપક્ષને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે વિપક્ષ દ્વારા મેયર ભેદભાવ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj