◙ હાલ તમામ વિદેશી ખેલાડીઓને સુરક્ષિત રીતે તેના વતનમાં મોકલાશે : ક્રિકેટ બોર્ડ
મુંબઈ,તા.9
ભારત-પાકિસ્તાન વચ્ચે ગંભીર તનાવનો ફટકો ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ આઈપીએલને પણ પડયો હોય તેમ તાત્કાલીક અસરથી એક સપ્તાહ માટે ટુર્નામેન્ટ સ્થગીત કરવામાં આવી છે. એક અઠવાડીયા બાદ સ્થિતિની સમીક્ષા કરીને નવુ સમયપત્રક તથા સ્થળો જાહેર કરવામાં આવશે.
આઈપીએલ ગવર્નીંગ કાઉન્સીલ દ્વારા તમામ ફ્રેન્ચાઈઝીઓનાં પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.ફ્રેન્ચાઈઝી દ્વારા ખેલાડીઓ વિશે ચિંતા દર્શાવવામાં આવી હતી. કાઉન્સીલે પ્રસારણકર્તા સ્પોન્સરો સાથે પણ વાતચીત કરી હતી અને તેના આધારે ટુર્નામેન્ટ એક સપ્તાહ માટે સ્થગીત કરવાનો નિર્ણય લીધો છે.
ક્રિકેટ બોર્ડે નિવેદનમાં કહ્યું કે, ભારતીય સૈન્યની તાકાત પર પુરો ભરોસો-વિશ્વાસ છે. ટુર્નામેન્ટનાં હિસ્સેદારોનાં સામુહીક હિતમાં નિર્ણય લેવાયો છે. આઈપીએલમાં ગઈકાલે પંજાબ અને દિલ્હી વચ્ચે મેચ ચાલુ હતો. પરંતુ સુરક્ષા કારણોસર તે અધવચ્ચે અટકાવી દેવાયો હતો તે ઉલ્લેખનીય છે.
આ નિર્ણાયક તબક્કે, BCCI રાષ્ટ્ર સાથે મજબૂત રીતે ઊભું છે. અમે ભારત સરકાર, સશસ્ત્ર દળો અને આપણા દેશના લોકો સાથે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ. બોર્ડ આપણા સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિ:સ્વાર્થ સેવાને સલામ કરે છે.
જેમના ઓપરેશન સિંદૂર હેઠળના પરાક્રમી પ્રયાસો રાષ્ટ્રનું રક્ષણ અને પ્રેરણા આપતા રહે છે, કારણ કે તેઓ તાજેતરના આતંકવાદી હુમલા અને પાકિસ્તાનના સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલા અનિચ્છનીય આક્રમણનો દૃઢ પ્રતિભાવ આપી રહ્યા છે.
જ્યારે ક્રિકેટ પ્રત્યે રાષ્ટ્રીય જુસ્સો છે, પરંતુ રાષ્ટ્ર અને તેના સાર્વભૌમત્વ, અખંડિતતા અને આપણા દેશની સુરક્ષા કરતાં મોટું કંઈ નથી. BCCI ભારતને સુરક્ષિત રાખતા તમામ પ્રયાસોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે અને હંમેશા રાષ્ટ્રના શ્રેષ્ઠ હિતમાં તેના નિર્ણયોને સંરેખિત કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy