ઈસ્લામાબાદ (પાકિસ્તાન) તા.26
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા નૃસંસ હત્યાકાંડની જવાબદારી પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠન લશ્કર એ તોયબાના એક સંગઠન ધી રેઝીસ્ટન્ટ ફોર્સ એ લેતા ભારતે પાકિસ્તાન સામે કડક પગલા ઉઠાવ્યા છે. જેના ભાગરૂપે સિંધુ જળ કરાર ભારતે રદ કરતા ઉશ્કેરાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતને ધમકી આપી હતી કે સિંધુનુ જળ રોકવામાં આવ્યુ તો અમે પુરી તાકાતથી તેનો જવાબ આપશુ.
પાક.વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાની સંપ્રભુતાની રક્ષા કરવા માટે કોઈ કસર નહિ છોડે તેમણે એવી પણ ધમકી આપી હતી કે સિંધુના પાણીને ઘટાડવુ કે વાળવાની કોઈપણ કોશીશનો પુરી તાકાતથી જવાબ આપવામાં આવશે.
શાહબાઝ શરીફે અમે કોઈ પણ દુ:સાહસનો જવાબ આપવા પુરી રીતે તૈયાર છીએ અને કોઈએ પણ આ બારામાં ભૂલ ન કરવી જોઈએ આ દેશ 240 મીલીયન લોકોનો છે અને અમે અમારા બહાદુર સશસ્ત્ર દળોની પાછળ ઉભા છીએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy