રાજકોટ, તા.26
ગુજરનાર હર્ષદભાઈ કલ્યાણજીભાઈ માવદીયાના વારસો લીનાબેન હર્ષદભાઈ માવદીયા વિગેરેએ ગુજરનાર ઈન્દુમતીબેન કલ્યાણજીભાઈ માવદીયા કે તે વાદીઓના દાદી થાય છે. ઈન્દુમતીબેનની જંગમ મિલકતો જેમાં ફીકસ ડીપોઝીટની રકમો, ભકિતનગર પોસ્ટ ઓફીસ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયન, ધરતી કો.ઓ. બેન્ક લી.માં પડેલ રકમો અંગે વિજ્ઞાપન અને કાયમી મનાઈ હુકમ મેળવવા સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલ હતો.
દાવામાં વાદીઓએ જણાવેલ કે, ઈન્દુમતીબેન તેમના દાદી છે. તેઓ સીધીલીટીના વારસદારો છે. ઈન્દુમતીબેનની ફીકસ ડીપોઝીટની રકમોમાં દરેક ખાતામાં પ્રતિવાદી સત્યનારાયણ અમોટા તથા મીનાબેન લહેરૂએ ઈન્દુમતીબેન સાથે લોહીના સબંધના નહી હોવા છતા વાસ્તવિક પરિસ્થિતીનો ગેરલાભ લઈ પોતાનું નામ ફીકસ ડીપોઝીટની રસીદમાં પોતાની રીતે ગરેકાયદેસર રીતે ઉમેરેલ છે. આવો દાવો દાખલ કરી મુળ દાવાની સાથે કામ ચલાઉ મનાઈ હુકમની માંગણી કરેલ.
સિવિલ કોર્ટમાં કામ ચલાઉ મનાઈ હુકમની સુનાવણી થતા પ્રતિવાદી નં. 4 અને પાંચના સાથે ઈન્દુમતીબેનના લાગણીના સબંધો હોય, ઈન્દુમતીબેને સ્વેચ્છાએ નોમીની તરીકે નીમેલ હોવાનું માની પ્રતિવાદી સત્ય નારાયણ અમોટાના વકીલએ કોર્ટ સમક્ષ કાયદાઓની છણાવટ કરી તે તમામ હકિકત ધ્યાને લઈ રાજકોટના એડી. સીનીયર સીવીલ જજએ વાદીઓની કામ ચલાઉ મનાઈ હુકમ મેળવવાની અરજી રદ કરેલ હતી. આ દાવામાં
પ્રતિવાદી સત્ય નારાયણના વકીલ તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી મનોજ એન. ભટ્ટ, આનંદ કે. પઢિયાર, સ્વીટીબેન આર. નંદાસણા, રીકલ એ. ચોટલીયા, પ્રિયાબેન પી. પાલ રોકાયેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy