રત્નાગીરી (મહારાષ્ટ્ર), તા.26
ફડણવીસ સરકારમાં મંત્રી રહેલા નીતેશ રાણેએ પહલગામ આતંકી હુમલાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. રાણેએ રત્નાગીરી જિલ્લામાં દાપોલી તાલુકામાં આયોજીત હિન્દુ ધર્મ સભાના મંચથી બોલતા કહ્યું કે, મુસલમાનો પાસેથી સામાન ન ખરીદો.
જો તેઓ આપણો ધર્મ પૂછીને ગોળી મારશે તો તમે પણ ધર્મ પૂછીને જ સામાન ખરીદો. જો તેઓ ખુદને હિન્દુ બતાવે તો તમે તેને હનુમાન ચાલીસાનો પાઠ કરવા માટે કહો.
કારણ કે તેઓ ખોટું પણ બોલી શકે છે. તમે ખાલી હિન્દુઓની દુકાનેથી સામાન જ ખરીદો. આ લોકો પોતાના પરિવારના સગા ન થયા તો આપણા શું થશે, આ લોકો પોતાના ધર્મ માટે એટલા કટ્ટર છે તો આપણે શું કામ તેને અમીર બનાવીએ.
જો તેઓ પોતાના ધર્મ પ્રત્યે આટલા કટ્ટર છે તો આપણે તેમને શા માટે ધનવાન બનાવી રહ્યા છીએ? જો તેઓ ધર્મ માટે જેહાદ કરી રહ્યા છે તો આપણે તેમની સાથે ભાઈચારાની વાત કેમ કરીએ છીએ? તમારે આ ધાર્મિક મેળાવડામાંથી શપથ લેવા જોઈએ.
હવેથી આપણે ફક્ત હિન્દુઓ પાસેથી જ સામાન ખરીદીશું, પછી જુઓ કે તેઓ કેવી રીતે ધ્રૂજવા લાગશે આપણે તેમને દૂધ પીવડાવીશું અને પછી તે આપણને જ કરડશે.
ઔરંગઝેબે પોતાના પિતાની હત્યા કરી, પોતાના પરિવારનો નાશ કર્યો, પોતાના ભાઈ અને પિતાની હત્યા કરી. જે લોકો પોતાના લોકો સાથે ઉભા નથી રહ્યા, તેઓ તમારી સાથે કેવી રીતે ઉભા રહેશે, આ વિશે વિચારો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy