રાજકોટ,તા.21
રાજકોટ જિલ્લા કલેકટરની સુચના અનુસાર છેલ્લા કેટલાક સમયથી શહેર અને જિલ્લામાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાઈ ગયેલા દબાણોને હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે, આજરોજ પણ જિલ્લામાં ડિમોલીશન ઝુંબેશ યથાવત રહેવા પામી છે.
ત્યારે આજરોજ કલેકટર પ્રભવ જોશીના આદેશ મુજબ લાલપરી નદીનાં પટ્ટમાંથી નોનવેજની દુકાન અને ગોડાઉનનું દબાણ હટાવી પૂર્વ મામલતદારે રૂા.5 કરોડની જમીન ખુલ્લી કરાવી દીધી હતી.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ શહેર પૂર્વ વિસ્તારમાં રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે તથા નવાગામ જવાના રસ્તા નજીક પુલ નીચે લાલપરી નદીના પટમાં સરકારી જમીન થયેલ જમીન ચો.મી. 500 ઉપર આવેલ બિનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવેલ છે. જે જમીનની અંદાજે બજાર કિંમત 5 કરોડ જેવી થાય છે.
આ જમીન ઉપર તલાટી ગ્રુપ 2 ધારાબેન વ્યાસ અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા તા.8/4/2025ના રોજ બાંધકામ દૂર કરવાની નોટીસ આપવામાં આવેલ હતી. છતાં દબાણકર્તા દ્વારા બાંધકામ દૂર ન કરતા આજે તા.21ના રોજ મામલતદાર એસ.જે. ચાવડા, સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા, તલાટી ગ્રુપ-2 ધારાબેન વ્યાસ મામલતદાર રાજકોટ (પૂર્વ) ટીમ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
આ સરકારી જમીન ઉપર કેજીએન ચિકન અને ફિશની દુકાન તથા એક ગોહાઉન કાચું બાંધકામ તેમજ ટેમ્પરરી સ્ટ્રકચરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy