(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 9
વડીયા તાલુકાના ભાયાવદર ગામે રહેતા અરજદાર ધીરૂભાઇ રવજીભાઇ અટાળા નામના 60 વર્ષિય વુઘ્ધે સને ર018 માં તેમના પત્ની ફુલીબેનને ફેફસાનું કેન્સર હોય, જેની સારવાર કરવા અર્થે અને ધીરૂભાઇના દિકરા ઘનશ્યામભાઇને રાજકોટ ખાતે ફલોર મીલનો ધંધો કરવો હોય, પૈસાનીજરૂરીયાત હોય જેથી ઘનશ્યામભાઇએ વડીયા ગામે રહેતા તુષારભાઇ વેગડને રૂપિયાની જરૂરત છે.
તેવી વાત કરેલ હતી. ત્યારે તુષારભાઇએ કહેલ કે તમારે જેટલા જોઇએ એટલા રૂપિયા પાંચ ટકા વ્યાજે મળશે જેથી ઘનશ્યામભાઇએ તુષારભાઇ વેગડ અને ગોલણભાઇ ડાંગર પાસેથી રૂપિયા પ,રપ,000 પાંચ ટકાના વ્યાજે લીધેલ હતા. અને પૈસાના બદલામાં આ બંને ઇસમોએ ઘનશ્યામભાઈ ધીરૂભાઇની કુલ 9 વીઘા જમીનનો રૂપિયા પ,રપ,000માં સાટાખત કરાવી લીધેલ હતું.
અરજદાર ધીરૂભાઇ સરકારની વ્યાજખોર વિરૂધ્ધની ઝુંબેશ અમરેલી જિલ્લા પોલીસ દ્રારા ચાલતી હોય તે આધારે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતને રૂબરૂ મળી પોતાની રજુઆત કરતા અને અરજી તેમજ સામાવાળાના જરૂરી પૂરાવા આપતા પોલીસ અધિક્ષક દ્વારા આ અરજીની તપાસ તાત્કાલીક વડીયા પોલીસ સ્ટેશન અને એલ.સી.બી. શાખાને સોંપતા અને તપાસના કામે આ કામના સામાવાળા તુષારભાઇ વેગડ અને ગોલણભાઇ ડાંગરને તપાસ માટે બોલાવી જરૂરી કાયદેસર કાર્યવાહી કરવાનું સુનિશ્ચિત કરતા બંને ઇસમોએઅરજદાર ધીરૂભાઇનો સંપર્ક કરી વડીયા તાલુકાના સારા આગેવાનોને વચ્ચે રાખી અને અરજદારને મળી પોતાની જમીન પરત અપાવવા કુલ- 9 વીઘા જમીન પરત આપવા તૈયારી બતાવેલ હતી.
પરંતુ અરજદારનાઓ આ 9 વીઘા જમીન વેચવા માંગતા હોય, જેથી અરજદારે એક વીઘાના 6(છ) લાખ લેખે જમીન વેચવાની ઇચ્છા બતાવતા સામેવાળા આરોપીઓ વચ્ચે સમાધાન કારક વહેવાર થતા કુલ રૂપિયા પ6,00,000માં અરજદાર પાસેથી કુલ-9 વીઘા જમીન વેચાતી રાખેલ છે.
મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય સાવરકુંડલા વિભાગ દ્વારા ગત તા.રપ/4/રપના રોજ અરજદાર ભાણકુભાઈ મેરામભાઈ વરૂ (રહે. કોળી કંથારીયા)એ તેના મોબાઇલ ઉપરથી અમરેલી પોલીસના વોટસએપ નંબર ઉપર પોલીસ કંટ્રોલરૂમમા વોટ્સઅપ મેસેજ કરેલ હતો બાદ સામાવાળા રાવતભાઈ/વનરાજ રાવતભાઈ ઘડધાને રૂબરૂ બોલાવી હકિકત જાણતા અને હકીકતને સમર્થન મળેલ હતું.
આ કામના અરજદારનું મકાન તથા પ્લોટ આશરે છથીસાત લાખ રૂપીયાની કિંમતનો હોય તેમ છતા સામાવાળાએ કડક ઉઘરાણી કરી ફકત સાડા ત્રણ લાખની નજીવી કિમતમાં આ મકાન તેમજ ફરતો પ્લોટ પોતાના નામે નોટરી લખાણ કરી લખાવી લીધેલ હતું.
જેથી અરજદાર ભાણકુભાઈ મેરામભાઈ વરૂનો સંપર્ક કરી કોળી કંથારીયા ગામના સારા આગેવાનોએ વચ્ચે પાડતા અને આ કામના અરજદારને પોતાનુ મકાન પ્લોટ સાથેનું પરત આપી દેવા નક્કી થયેલ તે મુજબ સામાવાળાએ તે બાબતનું રજીસ્ટર નોટરી લખાણ કરી આપી મકાનનો કબ્જો આ કામના અરજદાર ભાણકુભાઈ મેરામભાઈ વરૂને સોંપી આપેલ હોય જેથી અરજદાર ભાણકુભાઈ મેરામભાઈ વરૂએ પોલીસ અધિક્ષક અમરેલી અને નાગેશ્રી પોલીસનો રૂબરૂ આવી આભાર માનેલ હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy