છેલ્લા 10 વર્ષોમાં અક્ષય તૃતીયા પર સોનાના રોકાણમાં આપ્યો ત્રણ ગણો નફો

India, Business | 29 April, 2025 | 11:49 AM
સોનામાં એક વર્ષમાં 30 ટકાથી વધુ વળતર : કોરોના સમયગાળા દરમિયાન રોકાણકારોએ સૌથી વધુ 47 ટકા નફો કર્યો
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.29
અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવામાં આવે તો તેમાં સતત વધારો થાય છે. મળતી માહિતી મુજબ છેલ્લા 10 વર્ષોમાં અક્ષય તૃતીયાના દિવસે ખરીદવામાં આવેલા સોનાથી રોકાણકારોને ત્રણ ગણો નફો થયો છે.

કિંમતોમાં રેકોર્ડ વધારો: વર્ષ 2014માં અક્ષય તૃતીયાના અવસર પર 24 કેરેટ સોનાની કિંમત 30,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતી. હાલમાં, 2025માં આ કિંમત વધીને 98,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આ ત્રણ ગણાથી વધુનો વધારો છે. આ 10 વર્ષમાં બે એવા પ્રસંગો બન્યા છે.

જ્યારે સોનાએ એક વર્ષમાં 30 ટકાથી વધુ વળતર આપ્યું છે. કોરોના સમયગાળા દરમિયાન, તેણે રોકાણકારોને સૌથી વધુ 47 ટકા નફો કર્યો હતો. તે જ સમયે, છેલ્લા વર્ષમાં તેને લગભગ 34% નું ઉત્તમ વળતર મળ્યું છે.

ભાવમાં વધઘટ શક્ય છે
નિષ્ણાતોના મતે ટ્રમ્પના ટેરિફ અને અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવને કારણે સોનાના ભાવ પર અસર થઈ રહી છે. જો વિશ્વભરમાં વેપાર તણાવ વધુ વધે તો એક વર્ષમાં સોનાની કિંમત રૂ. 1.25 લાખને પાર કરી શકે છે.

મોટા ઘટાડાનો દાવો પણ
સોનાની ખાણકામ સાથે સંકળાયેલી વિશ્વની સૌથી મોટી કંપની સોલિડકોર રિસોર્સિસે દાવો કર્યો છે કે જો વેપારમાં તણાવ ઓછો થશે તો 12 મહિનામાં સોનાના ભાવ ઘટીને 2500 ડોલર પ્રતિ ઔંસ થઈ શકે છે. ભારતમાં સોનું રૂ.70,000ના સ્તરે પહોંચી શકે છે.

ચાંદીએ 13% કરતા વધુ વળતર આપ્યું
► લાંબા ગાળાનો આઉટલૂક મજબૂત, ટેરિફ ટેન્શન ઘટે તો ભાવ વધી શકે છે: એક્સપર્ટ
► ‘જો યુએસ-ચીન તણાવ ઓછો થાય તો ચાંદી ફરી રૂા. 1,00,000ની આસપાસ પાછી આવી શકે છે.’
નવી દિલ્હી:

 ટેરિફ વિશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતોથી વૈશ્વિક અનિશ્ચિતતા વધી છે અને સોનામાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે, આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીમાં 13% થી વધુનો વધારો થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે હાલમાં તેમાં નરમાઈ જોવા મળી રહી છે, પરંતુ જો આગામી સમયમાં ટેરિફ સંબંધિત તણાવ ઘટશે તો ચાંદીમાં વધુ ઉછાળો આવવાની શક્યતા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં 33.10 ડોલર પ્રતિ ઔંસના વર્તમાન સ્તર સાથે આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 13.5%નો વધારો થયો છે. થોડા દિવસો પહેલા રૂ. 1 લાખનો આંકડો પાર કર્યા પછી, સોમવારે દિલ્હીમાં ભાવ રૂ. 98500 પ્રતિ કિલો હતો.

કેડિયા ફિનકોર્પના સ્થાપક નીતિન કેડિયાએ કહ્યું, ’સોમવારે એમસીએક્સ પર ચાંદીની કિંમત 96,120 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહી હતી. થોડા અઠવાડિયા પહેલા તે આશરે રૂ. 1,01,000 ની ઊંચી સપાટીએ હતો, પરંતુ યુએસ અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ધીમી પડી જવાની ચિંતા વધી હતી. આ કારણે રોકાણકારોએ ઔદ્યોગિક ધાતુઓને ટાળવાનું શરૂ કર્યું અને ચાંદીના ભાવમાં ઝડપથી ઘટાડો થયો.

ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓમાં મોટા પ્રમાણમાં થાય છે. ભારતમાં પણ લગભગ 60% ચાંદી આયાત કરવામાં આવે છે. સિલ્વર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂ યોર્કના રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં વૈશ્વિક ઔદ્યોગિક માંગ રેકોર્ડ 680.5 મિલિયન ઔંસ હતી અને ભારતમાં ઔદ્યોગિક વપરાશમાં 4%નો વધારો થયો છે. જો કે, આ વર્ષે એકંદર માંગમાં 1%નો ઘટાડો થઈ શકે છે. 

સંસ્થાએ સોનાથી ચાંદીના ગુણોત્તરને પણ ટાંક્યો છે, જે છેલ્લા કેટલાક મહિનામાં 100ને વટાવી ગયો છે. છેલ્લા 10 વર્ષથી તેની સરેરાશ 85 છે. રિપોર્ટ અનુસાર, જો આ ગુણોત્તર ઊંચો હશે તો ચાંદી અપ્રાકૃતિક બની શકે છે કારણ કે રોકાણકારો ચાંદીને અંડર વેલ્યુમા ગણી શકે છે.

2033 સુધીમાં માંગ 46% વધી શકે છે’
નીતિન કેડિયાએ કહ્યું, ’અમારા મતે ચાંદીનું આગામી મજબૂત સપોર્ટ લેવલ રૂ. 90,000ની આસપાસ છે. તેનો બીજો સંરક્ષણ આશરે રૂ. 86,000 છે. જો યુએસ-ચીન તણાવ ઓછો થાય તો ચાંદી ફરી રૂ. 1,00,000ની આસપાસ પાછી આવી શકે છે. જો કે, કોઈપણ નવા અવરોધ અથવા કડક પગલાંને કારણે, કિંમત 90,000 રૂપિયાથી નીચે જઈ શકે છે.

તેમણે કહ્યું, ’2033 સુધીમાં એકંદરે માંગ 46% વધી શકે છે. વિશ્વભરમાં ચાંદીના જાણીતા સ્ત્રોતો અનુસાર, હવે માત્ર ખાણકામ દ્વારા લગભગ 5 લાખ 30 હજાર ટન ચાંદી મેળવી શકાય છે. આ સમીકરણને કારણે ચાંદીના ભાવ લાંબા ગાળે ઊંચા સ્તરે રહેવાની શક્યતા છે.

તે જ સમયે કેડિયા સ્ટોક્સ એન્ડ કોમોડિટી રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડના રિસર્ચ એનાલિસ્ટ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, ’રોકાણનું વલણ મજબૂત છે, પરંતુ જિયોપોલિટિકલ ટેન્શન અને ટેરિફ વોરના કારણે ઔદ્યોગિક માંગને અસર થઈ શકે છે. એકંદરે, 2025 માં ચાંદી માટેનો અંદાજ મિશ્ર લાગે છે.

જ્વેલર્સ દ્વારા અક્ષય તૃતીયા પર ગ્રાહકો માટે મોટી ઑફર્સ
મેકિંગ ચાર્જ અને સોનાની કિંમત પર ડિસ્કાઉન્ટ
નવી દિલ્હી: સોનાના ભાવ ભલે આસમાનને આંબી રહ્યા હોય, પરંતુ અક્ષય તૃતીયાના અવસર પર, ઝવેરાતની દુકાનો ગ્રાહકોને આકર્ષવા માટે મેકિંગ ચાર્જ અને સોનાના ભાવ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

અક્ષય તૃતીયા બુધવારે છે. આ અવસર પર સોનું ખરીદવું એ શુભ દિવસ માનવામાં આવે છે. તનિષ્ક, સેન્કો, એમપી જ્વેલર્સ અને પીસી ચંદ્ર જ્વેલર્સ જેવી બ્રાન્ડ્સે ઘણી બધી ઓફરો લોન્ચ કરી છે.

કલ્યાણ જ્વેલર્સ ગોલ્ડ જ્વેલરી કલેક્શનમાં મેકિંગ ચાર્જીસ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. તનિષ્ક ગોલ્ડ મેકિંગ ચાર્જીસ પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. સેનકો સોનાની કિંમત પર 350 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ અને મેકિંગ ચાર્જ પર 30% સુધીની છૂટ ઓફર કરી રહી છે. ડાયમંડ જ્વેલરી પર મેકિંગ ચાર્જીસ પર 100% ડિસ્કાઉન્ટ અને કિંમત પર 15% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

એમપી જ્વેલર્સ સોનાના દાગીના પર પ્રતિ ગ્રામ રૂ. 300નું ડિસ્કાઉન્ટ અને મેકિંગ ચાર્જીસમાં 10% ઘટાડો ઓફર કરે છે. PC જ્વેલર્સ સોનાની કિંમત પર પ્રતિ ગ્રામ રૂ. 200નું ડિસ્કાઉન્ટ, મેકિંગ ચાર્જ પર 15% ડિસ્કાઉન્ટ અને હીરાની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.

અંજલિ જ્વેલર્સના ડિરેક્ટરે કહ્યું કે અમને આશા છે કે અક્ષય તૃતીયા ખૂબ જ સારી રહેશે, કારણ કે સોનામાં ગ્રાહકોનો વિશ્વાસ અકબંધ છે. તેમણે કહ્યું કે સોનાના આ ક્રેઝનો લાભ લેવા માટે અમે મેકિંગ ચાર્જ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ જેથી ગ્રાહકો ને ખરીદીનો અનુભવ વધુ સારો બને. સેનકો ગોલ્ડના એમડી અને સીઈઓ સુવકર સેને જણાવ્યું હતું કે સોનાના ભાવમાં વધારો થવાને કારણે વેચાણમાં ઘટાડો થયો છે, પરંતુ શુભ પ્રસંગોએ ખરીદીનો ટ્રેન્ડ ચાલુ રહેશે. અમે વેડિંગ જ્વેલરીની કિંમતમાં 25-30% ઘટાડો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ માટે મોતી અને પત્થરોનો ઉપયોગ કરીને સોનાની માત્રામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj