નવી દિલ્હી,તા.10
ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા સૈન્ય તનાવમાં પાક દ્વારા ફેલાવાઈ રહેલા જૂઠાણાનો આજે પર્દાફાશ કરતા સૈન્યના પ્રવકતા કર્નલ સોફીયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન હોસ્પિટલ અને સ્કુલોને નિશાન બનાવવા પ્રયત્ન કરી રહ્યું છે પણ પાકિસ્તાન દ્વારા જે રીતે આદમપુર, સુરતપુર સ્થિત એસ-400 એન્ટી મિસાઈલ સીસ્ટમ કે બ્રહ્મોસ ફેસીલીટી અથવા તો નગરોટા દારૂગોળા સેન્ટરને નિશાન બનાવાયુ હોવાનું જે દાવો કર્યો છે.
તેને અમે નકારીએ છીએ. પાકિસ્તાન હવે નિયંત્રણ રેખા પર નાગરિક વિસ્તારોમાં હુમલા કરી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની હુમલાના નાગરિકોના મોત થયા છે અને ઈમારતોને નુકશાન થયુ છે.
તેમણે કહ્યું કે, પાકિસ્તાન ઉશ્કેરણીજનક કામ કરી રહ્યું છે પરંતુ ભારતીય દળો અત્યંત સંયમથી જવાબ આપી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy