રાજકોટ, તા.9
પહેલગામ હુમલા બાદ પકિસ્તાનની નાપાક હરક્તને લઈને હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધનો માહોલ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને સુરક્ષાની સ્થિતિ અત્યંત ગંભીર બની છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને લઇને જે પણ વિભાગો આ પરિસ્થિતિ હેઠળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થાય તેમ છે તેવા વિભાગોના કર્મચારીઓને તેમજ અર્ધ લશ્કરી દળમાં ફરજ બજાવતા જવાનોનો હાલ તાત્કાલિક હાજર થવા માટે જે તે વિભાગના વડાઓ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે.
ત્યારે રાજકોટમાં છેલ્લા 10 વર્ષથી રહેતા અને 4 વર્ષથી ભારતના અર્ધ લશ્કરી દળમાં સેવા આપતા જવાન ગણેશ સાતિયાને ફરી ફરજ પર હાજર થવા માટે અર્ધ લશ્કરી દળના વડા પાસેથી આદેશ આવ્યા છે. ’સાંજ સમાચાર’ સાથેની વાતચીત દરમ્યાન ગણેશ સાતિયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 4 વર્ષથી ભારતના અર્ધ લશ્કરી દળમાં ફરજ બજાવી રહ્યા છે.
હાલ તેઓની પોસ્ટિંગ તેલંગાણામાં છતીસગઢની બોર્ડર પાસે છે. હાલ આ યુધ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને અમારા દળના જવાનોને ફરજ પર તાત્કાલિક હાજર થવા આદેશ આપવામાં આવ્યા છે. આ તકે ગણેશ સાતિયાએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું હતું કે, બે દિવસ પહેલા મહિના દિવસની છૂટી લઈને ઘરે આવ્યો હતો.
પણ આજે માં ભારતી ના રખોપા માટે હાકલ પડી છે એટલે છૂટી રદ કરવામાં આવી છે. આ રૂડો અવસર પામવાનો મને મોકો મળ્યો છે, દુશ્મનને ધૂળમાં ધમરોળી નાખવાનો વખત આવી ગયો છે. માવડીના આશીર્વાદ સાથે લઈને નીકળી ગયા છીએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy