દુબઇ :
ભૂતપૂર્વ ઓપનર શિખર ધવનનું માનવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત જસપ્રીત બુમરાહની ગેરહાજરી અચૂક અનુભવાશે, પરંતુ ટીમનાં તાજેતરનાં ફોર્મમાં અને ઘણાં મેચ વિજેતા ખેલાડીઓ ટીમમાં હોવાથી ટૂર્નામેન્ટ જીતવાની આ મોટી તક છે.
શિખરે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ કોલમમાં લખ્યું કે મારી ચિંતા એ છે કે ભારતને બુમરાહની ગેરહાજરી જરૂર અનુભવાશે તેમાં કોઈ શંકા નથી.
હર્ષિત રાણા ધમાલ મચાવી શકે
શિખરે ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવા માટે શુભમન ગિલ અને હર્ષિત રાણાને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે ‘હર્ષિત પણ ટીમમાં જોડાયો છે અને મને લાગે છે કે તે ખરેખર રોમાચંક છે. શિખરે કહ્યું કે મને લાગે છે કે તે ટૂર્નામેન્ટમાં ધમાલ મચાવી શકે છે.
શિખરે કહ્યું કે મને તેનું વલણ ગમે છે, તે એક મહેનતુ ખેલાડી છે અને તે કોઈ પણ ચીજથી ડરતો નથી. તે પડકારોને સ્વીકારે છે અને તેણે ઇંગ્લેન્ડની શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. શિખરે કહ્યું કે મને ખાતરી છે કે રાણા તકનો લાભ લેવાનો પ્રયત્ન કરશે અને જો તે આવું કરે, તો તે ભારત માટે એક્સ ફેક્ટર બની શકે છે.
ટીમનાં તાજેતરનાં ફોર્મ અને તાકાતને જોતાં, શિખર ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી માટેનો સૌથી મોટો દાવેદાર માને છે. તેમણે કહ્યું કે ‘ભારત માટે આશાવાદી હોવાનાં ઘણાં કારણો છે. ભારત પાસે સંતુલિત ટીમ છે, ખાસ કરીને બેટ્સમેનોમા ઘણાં અનુભવી અને યુવા ખેલાડીઓનું મિશ્રણ છે. તેમણે કહ્યું કે ગિલની રમતમાં ઘણી સાતત્યતા હોય છે અને તે ટૂર્નામેન્ટમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
"મારા મતે જસપ્રિત બુમરાહ વિશ્વનો શ્રેષ્ઠ બોલર છે અને તેની ચોકસાઈનું પુનરાવર્તન કરવું મુશ્કેલ છે. તે ખૂબ શાંત સ્વભાવનો છે અને તે મોટી આઇસીસી ટુર્નામેન્ટમાં ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે.”
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy