જામનગર તા.10:
ભારત અને પાકિસ્તાન સાથેના ભારે ઘર્ષણની સ્થિતિ વચ્ચે જામનગરના એક વેપારી યુવાને વિવાદિત પોસ્ટ મુકતા તેમની વિરુદ્ધ જામનગર પંચકોષી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
વેપારીએ ઓપરેશન સિંદૂરની ટીકા કરતી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી. આ પોસ્ટને તંત્ર દ્વારા જાહેર જનતાને ગેરમાર્ગે દોરતી હોવાનું ગણાવી હાલ પોલીસ દ્વારા તેની અટકાયત કરાઈ હતી.
આ અંગેની વિગત એવી છે કે જામનગરના રણજીતસાગર રોડ પર સેટેલાઈટ પાર્ક શેરી નંબર 5 માં રહેતા મનીષભાઈ વલ્લભભાઈ ડાંગરિયા નામના 45 વર્ષીય વેપારીએ પોતાના મનીષ ડાંગરિયા નામના ફેસબુક એકાઉન્ટ પર વિવાદિત પોસ્ટ કરી હતી. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભરી પરિસ્થિતિને લગતી ઘણી બધી પોસ્ટ કરી હતી.
જેમાં એક પોસ્ટમાં એવું લખ્યું હતું કે વાત આખા પાકિસ્તાનના સફાયો કરવાની છે ખાલી અવાવરુ જગ્યાએ એટલે કે ખરાબાની જગ્યાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી વાહ વાહી મેળવવાની નથી... મીડિયા અને પ્રજા વિશે પણ વિવાદિત શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેમાં ઘણા વ્યક્તિઓએ કોમેન્ટ પણ કરી હતી આવી વિવાદિત પોસ્ટથી ભારતના સર્વ ભૌમત્વ એકતા અખંડિતતા તથા સુરક્ષાને જોખમાય તેવી હોય તેમ જ જનતાને ગેરમાર્ગે દોરતી હોવાથી તંત્રને ધ્યાને આવ્યો હતો.
જેને લઈને પંચકોષી બી ડિવિઝન પોલીસમાં મનીષભાઈ ડાંગરિયા નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાય હતી. પોલીસે બીએનએસ કલમ બીએનએસ કલમ 197 ડી મુજબ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની આટકાયત કરી લીધી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy