જય શ્રીકૃષ્ણ: ગુરૂવારે જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો 548મો પ્રાગટયોત્સવ

Local | Rajkot | 21 April, 2025 | 03:23 PM
સાંજ સમાચાર

 જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું પ્રાકટય વિક્રમ સંવત 1535ના ચૈત્ર વદ અગ્યારસ (1479)ના રોજ ચંપારણ્ય- છતિશગઢ મુકામે થયો હતો. (તારીખ મુજબ આ વર્ષે તા.24/4/25 ગુરૂવારે આવે છે.) તેમના પિતાશ્રીનું નામ શ્રી લક્ષ્મણ ભટ્ટજી હતું અને તેમના માતાનીનું નામ ઈલામાગરુજી હતું.

 મહાપ્રભુજી એ વૈષ્ણવોના બ્રહ્મસંબંધનો ભાવાર્થ સમજાવ્યો. ભગવદ્ નામ સ્મરણ માણસનું ભાગ્ય બદલી શકવાની તાકાત ધરાવે છે તેથી તેને કોઈ ગ્રહો, પિતૃ, ભૂતપ્રેત, વગેરે કાંઈ જ નડતું નથી. માત્ર દ્રઢ વિશ્વાસ જરૂરી છે. જગતમાં ત્રણ કુળ છે રઘુકુળમાં શ્રીરામચંદ્રજી પ્રગટયા, યદુકુળમાં શ્રીકૃષ્ણચંદ્રજી પ્રગટયા, અને તૈલંગકુળમાં શ્રીઆચાર્યજી પ્રગટા તેથી તે કુળને વલ્લભકુળ પણ કહેવામાં આવે છે.

જગદગુરૂ શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત ઈશ્વર સ્વરૂપ જ છે અને તેમની લીલા પણ અપરંપાર છે. શ્રી વલ્લભનો અર્થ થાય છે વહાલું પ્રિય. શ્રી વલ્લભ ભગવાન શ્રીકૃષ્ણના ખુબજ પ્રિય છે. તેમને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેનો સંપૂર્ણ શરણાગતિનો માર્ગ સમજાવ્યો.

શ્રીમદ્ વલ્લભાચાર્યજી એ શંકરાચાર્યજી, શ્રીરામાનુજાચર્યજી, શ્રી માધવાચાર્યજી, શ્રીનીંબકાચાર્યજીની ફિલોસોફીનો પણ અભ્યાસ કર્યો. ખુબજ નાની ઉંમરમાં તેઓ એક સાથે 100 મંત્રો કંઠસ્થ રાખી શકતા એટલું જ નહિ, ઉલ્ટી દિશામાં પણ કંઠસ્થા રાખી શકતા. ત્યારબાદ તેઓ બાલ સરસ્વતી તરીકે ઓળખાવા લાગ્યા.

 તેમને બાલ્યાવસ્થાથી જ ચિંતા રહેતી કે દેવી જીવ જે હજારો વર્ષોથી વિખૂટા પડયા છે જે દોષથી ભરેલા છે તેમનો ઠાકોરજી સાથે કેવી રીતે સંબંધ કરાવીશ. ત્યારે શ્રીજીબાવાએ ઠકરાણી ઘાટ પર પધારી બ્રહ્મસંબંધનો મંત્ર આપ્યો.

અને જીવને શરણે લેવાની આજ્ઞા કરી અને જે જીવને તમો શરણે લેશો તેમને હું કયારેય છોડીશ નહીં એવી આજ્ઞા કરી અને તેમણે સૌ પ્રથમ દામોદરદાસ હરસાનીજીને બ્રહ્મ સંબંધ આપ્યું. જિંદગીનો અર્થ શું? શા માટે આ બ્રહ્માંડનું અસ્તિત્વ છે? આ બધા જ પ્રશ્ર્નોના અર્થવેદ, ભગવદ્ ગીતાનો સહારો લઈ સમજાવ્યા.

 ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલ સંદેશ ફેલાવવા માટે તેમને 3 વખત ખુલ્લા ચરણે સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરી. તેમના 84 વૈષ્ણવોની વાર્તા અને શ્રી યમુનાષ્ટકમ વૈષ્ણવોમાં ખુબજ પ્રિય છે. મહાપ્રભુજીએ જુદા જુદા જુદા સ્થળો પર શ્રીમદ્ ભાગવતનું વાંચન કયુર્ં તે શ્રી મહાપ્રભુજીના બેઠકજી તરીકે ઓળખાય છે.

 મહાપ્રભુજીના લગ્ન શ્રી મહાલક્ષ્મીજી સાથે થયા હતા. અને તેમને 2 પુત્રો હતા. શ્રીગોપીનાથજી અને શ્રીવીઠલનાથજી (ગુંસાઈજી).  શ્રીમહાપ્રભુજીને ઠાકોરજીએ આજ્ઞા તરીકે નિજલિલામાં પરત પધારો ત્યારે તેમણે આસુરાવ્યામોહ લીલા કરી જેનાથી આસુરી દ્દષ્ટિ વાળા જીવને એમ થાય કે વલ્લભ સ્વધામ નીજ લિલામાં પધાર્યા શ્રી વલ્લભ સાપેક્ષના હોવા છતા વૈષ્ણવો અનુભવે છે કે આજે પણ શ્રી વલ્લભ હાજરાહજૂર જ છે. પુષ્ટિમાર્ગના રચિયતા અને વૈષ્ણવોના વહાલા જગદગુરૂ શ્રી વલ્લભાચાર્યના પ્રાકટયોત્સવ પર તેમને દંડવત પ્રણામ અને ખૂબ ખૂબ વધાઈ!!

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj