નવી દિલ્હી,તા.9
ભારત પાકિસ્તાન વચ્ચે હવાઈ હુમલા દરમ્યાન રેલવે પણ એલર્ટ મોડમાં આવી ગયુ છે.ઉતર-પશ્ર્ચિમ રેલવેએ યાત્રીઓ માટે એક અડવાઈઝરી જાહેર કરી છે. જે મુજબ જમ્મુ-કાશ્મીરની ટ્રેનોનાં ટાઈમ-રૂટ બદલવામાં આવ્યા છે. તો ટ્રેનો રદ કરવામાં આવી છે.
એડવાઈઝરીમાં વધુમાં જણાવ્યું હતું કે, સુરક્ષાની દ્રષ્ટિએ અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે.અનેક ટ્રેનો રી-શીડયુલ કરાઈ છે અને અનેકના રૂટ ડાયવર્ટ કરાયા છે.
રેલવેએ પેતાના યાત્રીઓને પોતાના યાત્રા કાર્યક્રમોની તપાસ કરવાની અપીલ કરી છે જેથી તેમને અસુવિધા ન થાય. રેલવેએ આ ઉપરાંત પોતાના બધા રેલવે કર્મીઓને સુરક્ષાના નિર્દેશ આપ્યા છે. રેલવેએ કહ્યું છે કે, કર્મચારી અજાણ્યા નંબરથી આવતા કોલ્સથી સાવધ રહે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy