(નરેશ ચોહલીયા)જસદણ, તા. 10
વિંછીયા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રૂ.404.26 લાખના ખર્ચે વિંછીયા તાલુકાના મોટી લાખાવડ ગામના નિનામા રોડ વિસ્તારની સુખભાદર નદી પરના નવનિર્મિત પુલનું લોકાર્પણ કરાયું હતું.
કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સુખભાદર નદી પરનો આ પુલ બે તાલુકાને જોડે છે. 18 મીટરના 6 ગાળાનો આર.સી.સી.ગર્ડરનો મેજર બ્રિજ બી.યુ.એસ.જી., કાર્પેટ અને સીલ કોટના ત્રણ લેયરમાં બનાવવામાં આવ્યો છે. ઉપરાંત, એપ્રોચ રોડમાં નદી બાજુ પ્રોટેક્શન વોલ, સાઇડ સોલ્ડર માટીકામ સહિતની કામગીરી કરાઈ છે.
વિંછીયા તાલુકાની આવનારી પેઢીને શિક્ષણ, આરોગ્ય, જળ અને રસ્તાઓની સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમમાં મહાનુભાવોનું પુષ્યમાળા પહેરાવીને કરવામાં સ્વાગત કરાયું હતું.
એ.પી.એમ.સી.ના ચેરમેન કડવાભાઈ જોગરાજીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રાંત અધિકારી આર.આર.ખાંભરાએ ગામવાસીઓને રાશન કાર્ડ ઈ- કે.વાય.સી.ની કામગીરી, ફાર્મર રજિસ્ટ્રેશન યોજના સહિતની યોજનાઓના લાભ લેવા ગ્રામના અગ્રણીઓને અનુરોધ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy