(ધર્મેશ કલ્યાણી દ્વારા)
જસદણ તા. 28 : જસદણના જનસંઘ સમયના પીઢ સામાજીક અગ્રણી અશોકભાઈ મહેતાનું ગઈકાલે તેમના જન્મ દિવસના દિવસે જ 77 વર્ષની ઉંમરે અચાનક હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જનસંઘના કાર્યકર તરીકે જસદણ આવતા ત્યારે તેમના ઘરે જ ઉતરતા હતા.
પ્રસ્તુત તસવીરમાં રાજકોટ ખાતે અંકુર સેલ્સ નામની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે નરેન્દ્રભાઈ મોદી, રાજકોટના ચાર્ટડ એકાઉન્ટન્ટ પી. આર. ધોળકિયા સાથે અશોકભાઈ મહેતા છે. 46 વર્ષ પહેલાની આ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં ઊભેલા વ્યક્તિ અશોકભાઈ મહેતા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy