નવી દિલ્હી: પહેલગામ હુમલા બાદ હવે ભારતે સહેલાણીઓની હત્યાકાંડનો બદલો લેવા માટે રાજદ્વારી અને લશ્કરી બન્ને મોરચે પાકને ઘેરવાનું શરૂ કર્યુ છે અને તેનાથી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિતના નેતાઓના ટાંટીયા ધ્રુજવા લાગતા હવે ભારત સામે આડેધડ નિવેદનથી શરૂ કર્યા છે.
તે વચ્ચે સૂત્રો દ્વારા મળતા સંકેત મુજબ ભારત આગામી 48 કલાકમાંજ પાકીસ્તાન પર નિર્ણાયક પ્રહાર કરી શકે છે અને તેના માટે સભ્ય સહિતના દળો તૈયાર છે. ટોચના સૂત્રોએ આપેલી માહિતી મુજબ સૈન્યની ત્રણેય પાંખો હાલ તેમની ભૂમિકા ભજવવા તૈયાર છે. અગાઉ જ ડિરેકટર જનરલ મીલીટ્રી ઓપરેશન એ કલાકોમાં અમલમાં મુકી શકાય તેવા પ્લાન તૈયાર રાખ્યા હતા અને હવે પહેલગામ હુમલાના પગલે તેને એકશનમાં મુકવા તૈયારી છે અને પાકને વધુ સમય નહી આપવાનો વ્યુહ છે.
સરકારે ડિપ્લોમેટીક મોરચે પણ આકરા પગલા શરુ કર્યા છે અને પાક પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધી રહ્યું છે અને હવેનો પ્રહાર વધુ વિદ્વંશક હશે તે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત આપી દીધો હતો અને દેશમાં જે લોકોનો ગુસ્સો છે તે પણ સરકાર માટે મોટો પડકાર છે. ભારતીય હવાઈદળના રાફેલ સહિતની સ્કવોડ્રન પણ યુદ્ધ કવાયત કરી રહી છે જે ગમે તે સમયે પાક પર પ્રહારમાં ખાસ કરીને લશ્કરે તોઈબાના મથકોને નિશાન બનાવાશે.
► ભારત જરૂર કંઈકને કંઈક કરશે: પાકના પુર્વ રાજદૂત બાસિતને ભય
પાકમાં ફફડાટ: સીમા પર એફ-16 તૈનાત કર્યા
ઈસ્લામાબાદ:
ભારતની આક્રમક તૈયારીઓથી પાક પણ હવે ખોફના માહોલ હેઠળ છે. એક તરફ પાક સૈન્યના જનરલો ખુદના કુટુંબોને ‘સલામત’ કરી રહ્યા છે તો ભારત હવે હવાઈ હુમલા કરશે તેવી દહેશતથી ભારત સાથેની સીમા પર એફ-16 સહિતના લડાયક વિમાનો તૈનાત કર્યા છે તથા પાક કબ્જાના કાશ્મીરમાં પણ સૈન્ય તૈનાતી વધારી છે. ખાસ કરીને પાકને પીઓકે કરતા તેના પ્રદેશોની ચિંતા વધુ છે. અગાઉ બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈક સમયે પાક હવાઈદળના વિમાનોએ કાશ્મીર પર હુમલો કરવા પ્રયાસ કર્યા હતા પણ તે એફ-16 તોડી પાડવામાં આવ્યુ હતું. આ વચ્ચે ભારત ખાતેના પાકના પુર્વ રાજદૂત અબ્દુલ બાસીતે પણ સ્વીકાર્યુ કે ભારત જરૂરથી કંઈક તો કરશે જ. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદ્વાનોનો હવાલો આપ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy