કૈલાશ માન સરોવર યાત્રા બે રસ્તેથી થશે : પાંચ વર્ષ પછી રજીસ્ટ્રેશન શરૂ

India | 28 April, 2025 | 03:14 PM
13 - 5 - 2025 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકશે
સાંજ સમાચાર

નવી દિલ્હી ,તા.28
છેલ્લાં કેટલાક સમયથી મળેલાં સંકેતોને ધ્યાનમાં રાખીને ભારતે હવે આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ વર્ષની યાત્રા જૂનથી ઓગસ્ટ સુધી ચાલશે.

મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, આ વર્ષે 50-50 યાત્રાળુઓની પાંચ ટુકડીઓ ઉત્તરાખંડના લિપુલેખ પાસમાંથી પસાર થશે. એટલી જ સંખ્યામાં યાત્રાળુઓ સિક્કિમથી નાથુલા પાસ 10 બેચમાં મુસાફરી કરી શકશે. 

સરકારે અરજી માટે વેબસાઈટ (Kmy.gov.in) ખોલી છે. સરકારનું કહેવું છે કે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા નિષ્પક્ષ અને જેન્ડરને સંતુલનને ધ્યાનમાં રાખીને હશે. આ યાત્રાનું સંચાલન રાજ્ય સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. આ યાત્રા 2020 થી થઈ રહી ન હતી. ચીન સાથેનાં સંબંધો આનું એક મોટું કારણ હતું. 

કેવી રીતે અરજી કરવી ? :-
:- અરજી માટે Kmy.gov.in વેબસાઇટની મુલાકાત લો. 
:- યાત્રા માટે એપ્લાય કરો - તેનાં પર ક્લિક કરો. 
:- જો નવાં વપરાશકર્તાઓ હો તો ’રજિસ્ટર ન્યૂ યુઝર’ પર ક્લિક કરો. 
:- આ પછી, ખુલેલા પેજ પર તમારી સંપૂર્ણ માહિતી ભરો અને સબમિટ કરો. 

કોણ અરજી કરી શકે ? :-
:- યાત્રાળુ ભારતીય નાગરિક હોવા જોઈએ. 
:- તેની પાસે ચાલું વર્ષનાં 01 સપ્ટેમ્બર સુધી ઓછામાં ઓછા 6 મહિનાની બેલેન્સ વેલિડિટી સાથેનો ભારતીય પાસપોર્ટ હોવો જોઈએ. 
:- તેની ઉંમર 1 જાન્યુઆરી 2025 સુધીમાં ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને તેની ઉંમર 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 
:- બોડી માસ ઇન્ડેક્સ (BMI) 25 કે તેથી ઓછો હોવો જોઈએ. 
:- શારીરિક રીતે ફિટ હોવા જોઈએ. 
:- વિદેશી નાગરિકો લાયક નથી, તેથી ઓ.સી.આઈ. કાર્ડધારકો પણ પાત્રતા ધરાવતાં નથી. 

તેનાં બે રસ્તા છે :-
લિપુલેખ પાસ (ઉત્તરાખંડ) :-

બેચની કુલ સંખ્યા :- 5 
સમયગાળો :- આશરે 22 દિવસ 
ખર્ચો :-  રૂ. 1.74 લાખ 

નાથુ લા (સિક્કિમ) :-
બેચની કુલ સંખ્યા :- 10 
સમયગાળો :-  આશરે 21 દિવસ 
ખર્ચો  :- રૂ.2.83 લાખ 

આ વાતનું ખાસ ધ્યાન રાખો :-
:- અરજી કરતી વખતે, બંને માર્ગોની તમારી પસંદગી અનુસાર પસંદગી આપવી મહત્વપૂર્ણ છે. 
:- પ્રવાસનું સ્થળ પસંદ કરવું પણ મહત્ત્વનું છે

રૂટ-1 (લિપુલેખ): ધારચુલા કે દિલ્હી. 
રૂટ-2 : (નાથુલા) : ગંગટોક કે દિલ્હી. 
:- જો બે અરજદારો બેચમાં જવા માગતાં હોય તો એક યુઝર એકાઉન્ટમાં બે રજિસ્ટ્રેશન જમા કરાવી શકાય છે. 

આ દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખો :-
:- ફોટાની સ્કેન કરેલી નકલ (JPG ફોર્મટમાં 300kb થી વધારે નહિં). 
:- પાસપોર્ટની સ્કેન કરેલી નકલ (જેમાં ફોટોગ્રાફ અને વ્યક્તિગત માહિતી હોય) અને પરિવારની વિગતો સાથેનું છેલ્લું પાનું (પીડીએફ ફોર્મેટમાં 500kbથી વધુ નહીં). 
:- જો તમે અન્ય વ્યક્તિ સાથે અરજી કરી રહ્યાં છો, તો તે વ્યક્તિનાં દસ્તાવેજો પણ તૈયાર રાખો.

ઑનલાઇન રજિસ્ટ્રેશન પછી :-
:- એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લો અને તેને તમારી પાસે રાખો. 
:- અરજદારને એસએમએસ અથવા ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj