નવી દિલ્હી ,તા.28
છેલ્લાં કેટલાક સમયથી મળેલાં સંકેતોને ધ્યાનમાં રાખીને ભારતે હવે આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ વર્ષની યાત્રા જૂનથી ઓગસ્ટ સુધી ચાલશે.
મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, આ વર્ષે 50-50 યાત્રાળુઓની પાંચ ટુકડીઓ ઉત્તરાખંડના લિપુલેખ પાસમાંથી પસાર થશે. એટલી જ સંખ્યામાં યાત્રાળુઓ સિક્કિમથી નાથુલા પાસ 10 બેચમાં મુસાફરી કરી શકશે.
સરકારે અરજી માટે વેબસાઈટ (Kmy.gov.in) ખોલી છે. સરકારનું કહેવું છે કે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા નિષ્પક્ષ અને જેન્ડરને સંતુલનને ધ્યાનમાં રાખીને હશે. આ યાત્રાનું સંચાલન રાજ્ય સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. આ યાત્રા 2020 થી થઈ રહી ન હતી. ચીન સાથેનાં સંબંધો આનું એક મોટું કારણ હતું.
કેવી રીતે અરજી કરવી ? :-
:- અરજી માટે Kmy.gov.in વેબસાઇટની મુલાકાત લો.
:- યાત્રા માટે એપ્લાય કરો - તેનાં પર ક્લિક કરો.
:- જો નવાં વપરાશકર્તાઓ હો તો ’રજિસ્ટર ન્યૂ યુઝર’ પર ક્લિક કરો.
:- આ પછી, ખુલેલા પેજ પર તમારી સંપૂર્ણ માહિતી ભરો અને સબમિટ કરો.
કોણ અરજી કરી શકે ? :-
:- યાત્રાળુ ભારતીય નાગરિક હોવા જોઈએ.
:- તેની પાસે ચાલું વર્ષનાં 01 સપ્ટેમ્બર સુધી ઓછામાં ઓછા 6 મહિનાની બેલેન્સ વેલિડિટી સાથેનો ભારતીય પાસપોર્ટ હોવો જોઈએ.
:- તેની ઉંમર 1 જાન્યુઆરી 2025 સુધીમાં ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને તેની ઉંમર 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
:- બોડી માસ ઇન્ડેક્સ (BMI) 25 કે તેથી ઓછો હોવો જોઈએ.
:- શારીરિક રીતે ફિટ હોવા જોઈએ.
:- વિદેશી નાગરિકો લાયક નથી, તેથી ઓ.સી.આઈ. કાર્ડધારકો પણ પાત્રતા ધરાવતાં નથી.
તેનાં બે રસ્તા છે :-
લિપુલેખ પાસ (ઉત્તરાખંડ) :-
બેચની કુલ સંખ્યા :- 5
સમયગાળો :- આશરે 22 દિવસ
ખર્ચો :- રૂ. 1.74 લાખ
નાથુ લા (સિક્કિમ) :-
બેચની કુલ સંખ્યા :- 10
સમયગાળો :- આશરે 21 દિવસ
ખર્ચો :- રૂ.2.83 લાખ
આ વાતનું ખાસ ધ્યાન રાખો :-
:- અરજી કરતી વખતે, બંને માર્ગોની તમારી પસંદગી અનુસાર પસંદગી આપવી મહત્વપૂર્ણ છે.
:- પ્રવાસનું સ્થળ પસંદ કરવું પણ મહત્ત્વનું છે
રૂટ-1 (લિપુલેખ): ધારચુલા કે દિલ્હી.
રૂટ-2 : (નાથુલા) : ગંગટોક કે દિલ્હી.
:- જો બે અરજદારો બેચમાં જવા માગતાં હોય તો એક યુઝર એકાઉન્ટમાં બે રજિસ્ટ્રેશન જમા કરાવી શકાય છે.
આ દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખો :-
:- ફોટાની સ્કેન કરેલી નકલ (JPG ફોર્મટમાં 300kb થી વધારે નહિં).
:- પાસપોર્ટની સ્કેન કરેલી નકલ (જેમાં ફોટોગ્રાફ અને વ્યક્તિગત માહિતી હોય) અને પરિવારની વિગતો સાથેનું છેલ્લું પાનું (પીડીએફ ફોર્મેટમાં 500kbથી વધુ નહીં).
:- જો તમે અન્ય વ્યક્તિ સાથે અરજી કરી રહ્યાં છો, તો તે વ્યક્તિનાં દસ્તાવેજો પણ તૈયાર રાખો.
ઑનલાઇન રજિસ્ટ્રેશન પછી :-
:- એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લો અને તેને તમારી પાસે રાખો.
:- અરજદારને એસએમએસ અથવા ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy