મુંબઈ,તા.26
ઝુલસુનીલ શેટ્ટીની આગામી ફિલ્મ ‘કેસરી વીર : લેજન્ડ્સ ઑફ સોમનાથ’ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. હાલમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ફિલ્મના પ્રોડ્યુસર કનુ ચૌહાણે આ નિર્ણય લીધો છે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી સિવાય સૂરજ પંચોલી, વિવેક ઓબેરોય અને આકાંક્ષા શર્મા લીડ રોલમાં છે. આ ફિલ્મ 16 મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે.
પોતાના નિર્ણય વિશે વાત કરતાં ફિલ્મના પ્રોડ્યુસરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં મારા ફોરેન ડિસ્ટ્રિબ્યુટર્સને કહી દીધું છે કે કોઈ પણ કિંમતે મારી ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ ન થવી જોઈએ. હું નથી ઇચ્છતો કે પહલગામ અટેક પછી મારી ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થાય. આ નિર્ણય પહલગામ હુમલાનો ભોગ બનેલા લોકો પ્રત્યે મારીશ્રદ્ધાંજલિ છે. આ મારો નૈતિક અભિગમ છે.’
‘કેસરી વીર : લેજન્ડ્સ ઑફ સોમનાથ’માં 14મી સદીમાં સોમનાથ મંદિરને આક્રમણખોરોથી બચાવવા માટે લડનાર અને પોતાના પ્રાણની આહુતિ આપી દેનાર લડવૈયાઓની પ્રેરક સ્ટોરી છે. ફિલ્મમાં સુનીલ શેટ્ટીએ યોદ્ધા વેગડાજીનો અને સૂરજ પંચોલીએ રાજકુમાર હમીરજી ગોહિલનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર 29 એપ્રિલે મુંબઈમાં લોન્ચ થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy