રાજકોટ, તા.15
શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગર ગેટ પાસે, બંસીધર સોસાયટી શેરી નંબર 3માં રહેતા લાલજીભાઈ ભીખભાઈ ડાભી (ઉં.વ. 54) આજે સવારે ઘરે બેભાન થઇ જતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોકટરે મૃત જાહેર કરેલ હતા. પરિવારજનોએ જણાવ્યું કે, લાલજીભાઈ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હતા. તેમને 15 મહિના પહેલા કેન્સર હોવાનું નિદાન થયું હતું. જેનું ઑપરેશન કરાવ્યું હતું. આ પછી તેઓ સ્વસ્થ થઈ ગયા હતા. જોકે તે બાદ ફરી અચાનક તેઓની તબિયત લથડી હતી.
તપાસ કરાવતા ફેફસામાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ફરી કેન્સરની સારવાર ચાલુ હતી. તે દરમ્યાન ગઈકાલે રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યા નહોતા. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. લાલજીભાઈને સંતાનમાં 3 દીકરા છે. તેઓ 25 વર્ષથી ડ્રાઇવિંગ કરતા હતા. રાજકોટથી ગાડીમાં તેલ ભરી સુરત જતા અને ત્યાંથી ન્યુઝ પેપરના રોલ ભરી આવતા. તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy