નવી દિલ્હી તા.23
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દુનિયા ભારત તરફ જોઈ રહી છે અને દેશના ભાગ્યમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. દુનિયાએ બન્ને માર્ગો પર ચાલીને જોઈ લીધુ છે અને તેમાં તેને વિફળતા મળી છે. સાધન અને સંપન્નતા તો મળી પણ સંતોષ ન મળ્યો.
ભાગવતે દેશના યુવાનોને કહ્યું કે એ એના પર નિર્ભર રહે છે કે આપણા દેશને કેવી રીતે સિરમોર બનાવવો યુવાનો નકકી કરે કે દેશને કેવી રીતે (સિરમોર) બનાવવો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)નાં દિલ્હીમાં બનેલા નવા ભવન યશવંતનું ઉદઘાટન કરતા સંઘ પ્રમુખે કહ્યુ હતું કે જયાં ભેદ છે ત્યાં પ્રેમ એકત્ર કરવો જોઈએ. આ પ્રસંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ, ભાજપ અધ્યક્ષ નડ્ડા, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, નીતિન ગડકરી વગેરે હાજર હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy