મધ્યપ્રદેશ પણ દારૂબંધી ભણી! ધાર્મિક સર્કીટના 20 મહાનગર - શહેરોમાં શરાબ પ્રતિબંધની તૈયારી!

India | 24 January, 2025 | 02:48 PM
રાજયની કેબીનેટમાં આજે થશે નિર્ણય : હજારો કરોડની આવક ગુમાવવા, વ્યાપારને નુકશાન મુદ્દે ભાજપમાં જ નવી નીતિ સામે વિરોધ
સાંજ સમાચાર

ભોપાલ: 
ગુજરાત અને બિહાર બાદ હવે મધ્યપ્રદેશ પણ દારૂબંધીની નીતિ અપનાવવા જઈ રહ્યું છે અને રાજયની ભાજપ સરકાર ઉજજૈન સહિતના રાજયના 16 ધાર્મિક સર્કીટ શહેરમાં દારૂબંધી લાદવાનો નિર્ણય કર્યો છે. આ અંગે આજે મધ્યપ્રદેશની કેબીનેટ બેઠકમાં નિર્ણય લેવાશે.

રાજય સરકારે આ માટે બરગાલ જિલ્લા નર્મદાના કિનારે કેબીનેટ બેઠક બોલાવી છે. આગામી નાણાકીય વર્ષની આ નવી નીતિ અમલમાં આવી શકે છે. જેમાં જબલપુર (મર્યાદીત ક્ષેત્ર) ઓરછા, મંદસૌર, ઓમકારેશ્વર, ચિત્રકુટ સહિતનો સમાવેશ થાય છે.

રાજય સરકારે સ્વીકાર્યુ કે, રાજયો પુર્ણ રીતે શરાબબંધી લાદવા મુદે સરકાર આગળ વધી રહી છે અને પ્રથમ તે આ પવિત્ર શહેરોને શરાબમુક્ત બનાવશે અને લોકોમાં શરાબના કારણે આરોગ્ય તથા કૌટુંબિક, સામાજીક જે રીતે નુકશાન થઈ રહ્યું છે તે અંગે લોકોમાં જાગૃતિ લાવશે તથા શરાબને કારણે અપરાધો પણ વધ્યા છે.

ખાસ કરીને રાજય સરકાર આ ઝુંબેશમાં મહિલાઓને સામેલ કરશે. જો કે મધ્યપ્રદેશમાં 21% આદીવાસી વસતિ છે જયાં શરાબ પીવો એક સંસ્કૃતિ અને જીવનધોરણના ભાગ છે અને ત્યાં આ પોલીસી અમલમાં મુકવી તે સૌથી મોટો પડકાર હશે.

રાજય સરકારને આ પ્રકારે શરાબબંધીથી રાજય સરકારને રૂા.15000 કરોડથી રૂા.20000 કરોડનું નુકસાન દર વર્ષે થઈ શકે છે. જો કે ભાજપના જ અનેક નેતાઓએ આ પ્રકારે શરાબબંધીનો વિરોધ કર્યો છે.

રાજયમાં પ્રવાસન-ઉદ્યોગો વિ.ને માટે પ્રશ્ન ઉભા થશે તે ઉપરાંત વર્તમાન શરાબના વ્યાપારી અને તેની સાથે જોડાયેલા 2 લાખથી વધુ લોકો માટે આવક છીનવાશે તેવો ભય દર્શાવ્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj