મુંબઈ:
મહારાષ્ટ્રમાં ગેરકાનુની રીતે ઘુસી ગયેલા બાંગ્લાદેશી અને રોહિંગ્યા સહિતના ગેરકાનુની રીતે વસી ગયેલા તમામ સામે હવે રાજયની ફડનવીસ સરકારે નવી ઝુંબેશ ચાલુ કરી છે. રાજયમાં ચુંટણી સમયે જ ભાજપ ગેરકાનુની વસી ગયેલા તમામને તેમના દેશમાં તડીપાર કરવાની ખાતરી આપી હતી.
તેમાં હવે વિપક્ષોએ તેને વોટ જેહાદ ગણાવ્યો હતો. હવે અહી મુંબઈ મહાપાલિકા સહિતની સ્થાનિક ચુંટણીઓ આવી રહી છે. તે પુર્વે આ પ્રકારે ગેરકાનુની રીતે ઘુસેલા તમામની ઓળખ મેળવી તેમના બર્થ સર્ટીફીકેટ પણ ચકાસણી હેઠળ મુકયા છે અને તે રીતે તેમના સંતાનો જે ભારતમાં જન્મ લીધો છે તેઓને પણ ઓળખી કાઢીને તેમને તડીપાર કરાશે.
હાલમાં જ બોલીવુડ અભિનેતા સૈફઅલીખાન પર થયેલા હુમલામાં જે રીતે બાંગ્લાદેશીની સંડોવણી બહાર આવી પછી હવે રાજય સરકારે ગેરકાનુની રીતે ઘુસેલા બાંગ્લાદેશીઓ પરિવાર સહિત હવે ભારતમાં વસી ગયા છે.
આ ઉપરાંત જે રીતે 30થી 75 વર્ષના લોકોના જન્મતારીખના દાખલા મેળવવાની અરજીઓમાં પણ મોટો વધારો થયો છે. તેથી હવે 30 વર્ષ કે તેથી ઉપરના લોકો જેઓએ જન્મતારીખના દાખલા મેળવવા અરજી કરી છે તેની પ્રક્રિયા સ્થગીત કરવા આદેશ આપ્યો છે.
આ અરજીઓમાં માલેગાવ - અપરાધની - નાસીક વિ.માં બાંગા ડોકયુમેન્ટના આધારે જન્મતારીખ સર્ટી મેળવી રહ્યાનું બહાર આવ્યુ છે. રાજયના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસે જાહેરાત કરી છે કે રાજયમાં એક પણ બાંગ્લાદેશી ઘૂસણખોર રહે નહી તે અમો નિશ્ચિત કરશું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy