નવી દિલ્હી: દેશમાં એક તરફ પાકિસ્તાન સાથે યુદ્ધના તનાવની સ્થિતિ અને આકરા ઉનાળાના તાપમાંથી દેશ પસાર થઈ રહ્યો છે. તે વચ્ચે કુદરત તરફથી સમાચાર આવી રહ્યા છે. નૈઋત્યનુ ચોમાસુ કેરળમાં તા.27ના પહોંચી જશે.
સામાન્ય રીતે તા.1 જૂનના નૈઋત્યનુ ચોમાસુ જે ભારતીય કૃષી સહિતના ક્ષેત્રો માટે વરદાનરૂપ છે તે તા.1 જૂનના કેરળમાં ટકોરા મારે છે. પણ આ વર્ષે તેના નિશ્ચિત શેડયુલ કરતા પાંચ દિવસ વહેલુ ચોમાસુ આવી જશે.
હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા મુજબ ચોમાસાની આગમનના નિશ્ચિત શેડયુલમાં ચાર દિવસ મોડુ-વહેલુ આવી શકે છે. બંગાળના અખાતમાં બનનારી સિસ્ટમના સંકેત પરથી ચોમાસાના આગમનના અને તે નૈઋત્ય ચોમાસાની પેટર્ન પણ નકકી કરે છે. અગાઉ હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસુ સામાન્યથી વધુ રહેવાની ધારણા દર્શાવી છે.
દેશમાં ચોમાસાના વહેલા આગમન અને વિલંબની વિદાયથી એક હવામાન વિભાગે ચોમાસાના આગમન પુર્વે તામિલનાડુના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. નૈઋત્યનુ ચોમાસુ આગામી સપ્તાહમાં જ આંદામાન નિકોબારમાં સક્રીય થઈ જશે.
જે પણ તેના શેડયુલ કરતા વહેલુ હશે અને તે ઝડપથી આગળ વધશે. આ વર્ષે ચોમાસાને અલ-નીનો ફેરફાર નડશે નહી. ઉપરાંત ચોમાસાને વધુ તીવ્ર બનાવતા લા-નીનાની પણ ગેરહાજરી છે. હવામાન વિભાગની ચોમાસા પર નજર છે અને તેની પ્રગતિ પર અપડેટ આપતુ રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy