(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.10
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેરમાં રીઝલ્ટના રાજા તરીકે જાણીતી નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઝળહળતી સફળતા મેળવી છે.
મોરબી નવયુગ વિદ્યાલયના કુલ 275 વિદ્યાર્થીઓએ ધો. 10 ની પરીક્ષા આપેલ હતી જેમાંથી 274 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ 99.64% આવ્યું છે જો વિદ્યાર્થીઓને મેળવેલ પીઆર અને ગ્રેડ ઉપર નજર કરીએ તો 53 વિદ્યાર્થીને A1 ગ્રેડ, 82 વિદ્યાર્થીન A2 ગ્રેડ મળે છે. જયારે 17 વિદ્યાર્થીને 99 થી વધુ PR, 61 વિદ્યાર્થીને 95 થી વધુ PR, 99 વિદ્યાર્થીને 90 થી વધુ PR મળ્યા છે .
આમ બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી અને આ વિદ્યાર્થીઓને ઝળહળતા પરિણામ સુધી પહોચાડવા માટે જહેમત ઉઠાવનારા શિક્ષકો સહિતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy