રાજકોટ, તા.21
સુશ્રી મહિમા ચંપાવત રાજકોટના દરબારગઢ ખાતે "વિશ્ર્વ વારસા દિવસ"ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. "વિશ્ર્વ વારસો દિવસ" ની ઉજવણી અંતર્ગત રાજકુમાર કોલેજના વિદ્યાર્થીઓને રાજકોટ દરબાર ગઢ સ્થિત મ્યુઝિયમ ખાતે આવકારતા મ્યુઝિયમ ક્યુરેટર અને વિઝયુઅલ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુશ્રી મહિમા ચંપાવતે વધુમાં જણાવ્યું હતું કે, પ્રતિવર્ષ 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવતો "વિશ્વ વારસો દિવસ" એ સમગ્ર માનવજાતને સાંસ્કૃતિક સ્મારકો અને વારસા સ્થળોનું રક્ષણ કરવાની જરૂરિયાતની વૈશ્વિક યાદ અપાવે છે એટલું જ નહીં પરંતુ વિશ્વ ભરના સમુદાયોને માનવતાની મૂલ્યવાન વ્યાખ્યાયિત કરતી વિવિધ ઓળખ, વાર્તાઓ ઉપરાંત અભિવ્યક્તિઓની કદર કરવા અને તેનું રક્ષણ કરવા માટેની પ્રેરણા પણ પુરી પાડે છે.
રાજકુમાર કોલેજના અંજુસિંહ અને બાસુજીતજીના નેતૃત્વ તળે પધારેલા મુલાકાતી વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યા પછી વિવિધ ગેલેરીઓ અને મહેલ કેમ્પસમાં એક ક્યુરેટેડ વોક દરમિયાન સાંસ્કૃતિક વારસાને જાળવવામાં, તેનું પુન:સ્થાપન કરવામાં સંરક્ષણ અને સંગ્રહાલય ડિઝાઇનની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્રના ઇતિહાસમાં એક વિશેષ સ્થાન ધરાવતાં અને આપણાં સમૃદ્ધ ઇતિહાસના ગૌરવશાળી પુરાવા સમાન દરબારગઢ મહેલ રાજકોટ નગર, રાજકોટના રાજવી વંશ, સ્થાપત્ય વારસો અને સાંસ્કૃતિક પરંપરાઓના અનોખા મિશ્રણ સાથે રાજાશાહી યુગની શાસન વ્યવસ્થાની ભવ્યતાથી શરૂ કરીને સ્વતંત્રતા ચળવળની મહત્વપૂર્ણ ક્ષણો સુધીના એક જીવંત સંગ્રહાલયના માધ્યમથી ઐતિહાસિક ઇમારતો શહેર તથા પ્રદેશની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખને માનવીય અભિગમ દ્વારા એકબીજા સાથે અનુબંધિત કરવામાં કેટલું મહત્વપૂર્ણ યોગદાન આપે છે તે દિશામાં વિદ્યાર્થીઓએ ઊંડાણપૂર્વકની વિગતો મેળવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy