APSEZ મુંદ્રા ખાતે નેશનલ ફાયર સેફ્ટી વીકની ‘ચાલો સૌ અગ્નિથી સુરક્ષિત ભારત દિપાવીએ’ થીમ સાથે ઉત્સાહભેર ઉજવણી

Local | Rajkot | 21 April, 2025 | 03:57 PM
આગ લાગે ત્યારે શું કરવું, અગમચેતીના પગલાઓ વિશે સહિત વિશે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું
સાંજ સમાચાર

રાજકોટ, તા.21
ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ખાતે ક1મા ફાયર સેફટી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. ગત તા.14 થી 20 એપ્રિલ સુધી રાષ્ટ્રીય અગ્નિશમન સેવા સપ્તાહ SEZ ઉદ્યોગો તેમજ આસપાસની શાળાઓમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અદાણી પોર્ટ્સના અગ્નિશમન વિભાગ દ્વારા નેશનલ ફાયર સેફટી વીકની ઉજવણીના ભાગરૂપે આયોજીત તાલીમમાં અદાણી પબ્લિક સ્કૂલ અને ઝરપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ કરવામાં હતી.

જેમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું, આગના અલગ અલગ પ્રકારો, આગ લાગવાના કારણો એને તેને નિયંત્રણ કરવાના ઉપાયો, તેમજ અગમચેતીના પગલાઓ વિશે પણ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ વર્ષે ફાયર સેફ્ટી વીકની થીમ UNITE TO IGNITE, FIRE SAFE INDIA(ચાલો સૌ અગ્નિથી સુરક્ષિત ભારત દિપાવીએ") રાખવામાં આવી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj