નવી દિલ્હી તા.30
પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુન:ગઠન કર્યુ છે. જેમાં ભારતની ગુપ્તચર સંસ્થા રોનાં પૂર્વ પ્રમુખ આલોક જોશીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
આ સમિતિનાં સભ્યોમાં પૂર્વ વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ પીએમ સિંહા સધર્ન આર્મી કમાન્ડર લેફટનન્ટ જનરલ એ.કે.સિંહ અને રીઅર એડમીરલ મોન્ટીખન્નાનો સમાવેશ થાય છે.
ભારતીય પોલીસ સેવાના નિવૃત અધિકારીઓ રાજીવ રંજન વર્મા અને મનમોહનસિંહ આ બોર્ડમાં છે. આ ઉપરાંત આઈએફ્રેસમાંથી નિવૃત વેંકટેસ વર્મા 7 સભ્યોનાં આ બોર્ડનો ભાગ છે.
ઉલ્લેખનીય છે કે, ઘાતક પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાને લઈને વડાપ્રધાન મોદીએ ફરી એકવાર સુરક્ષા પર કેબીનેટ સમિતિ (સીસીએસ)ની બેઠક બોલાવી હતી ત્યારબાદ રાજનીતિક મામલાની કેબિનેટ સમિતિ (સીસીપીએ) આર્થિક મામલાની કેબિનેટ સમિતિ (સીસીઈએ)ની બેઠક મળી હતી.એક પૂર્ણ કેબિનેટની બેઠક યોજાશે.
વડાપ્રધાન મોદી રાજનીતિક મામલાની કેબિનેટ સમિતિ કે સીસીપીએની એક મહત્વપૂર્ણ બેઠક યોજી રહ્યા છે. આ કેબિનેટની સૌથી મહત્વપૂર્ણ સમિતિ જેને સુપર કેબીનેટ કહેવામાં આવે છે.
આતંકવાદી હુમલાની ઘટના બાદ આ સમિતિની બીજી બેઠક યોજાશે. વડાપ્રધાનનાં નિવાસે યોજાયેલી મહત્વની બેઠકોમાં વડાપ્રધાન મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ હાજર હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy