(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસપાટણ, તા. 9
ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એન.વી. ઉપાધ્યાય સાહેબે આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન જલાભિષેક કરી અને ધ્વજા પૂજા પણ કરી હતી.
આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને પ્રસાદ તેમજ સ્મૃતિ ચિત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. ઉપાધ્યાયે ભગવાન સોમનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને જિલ્લાના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.
ચાર્જ સંભાળ્યો
ગીર સોમનાથ જિલ્લાના નવા વરાયેલા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે આજે સવારે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ભગવાનના ચરણે શીશ ઝૂકાવીને જિલ્લાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ નવા કલેક્ટરનું ફુલહાર અને બુકે આપીને સ્વાગત- અભિવાદન કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લા કલેક્ટરે જિલ્લાના વિકાસની ગતિ-પ્રગતિને આગળ વધારવા માટેનું દાયિત્વ નિભાવવાની નેમ વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર આ અગાઉ ગાંધીનગર ખાતે સહકાર રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતાં હતાં.
કલેક્ટર આ અગાઉ ભાવનગર ખાતે મ્યુનિસિપલ કમિશનર, સુરત ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ભરૂચ ખાતે આર.ડી.સી, વલસાડ, નખત્રાણા અને પાટણ પ્રાંત અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy