#video OSSI દ્વારા મોટાપા જાગૃતિ માટેનો CME કાર્યક્રમ યોજાયો : ત્રણ પ્રકારની બેરિયાટ્રિક સર્જરીનો આજે લાઈવ ડેમો
100થી વધુ ડોકટરો - ફિઝિશિયન્સ, ગાયનેકોલોજિસ્ટ્સ, એન્ડોક્રાયનોલોજિસ્ટ્સ અને સર્જન્સ-એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
વધતા જતા મોટાપાની તીવ્ર આરોગ્યસંબંધી સમસ્યાને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ, ઓબેસિટી એન્ડ મેટાબોલિક સર્જન્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (OSSI ) એ CIGIS હોસ્પિટલ અને IMA રાજકોટ સાથે મળીને રાજકોટ શહેર સ્તરે CME કાર્યક્રમ 24 એપ્રિલે સફળતાપૂર્વક યોજાયો હતો, જે બાદ 25 એપ્રિલે ત્રણ પ્રકારની બેરિયાટ્રિક સર્જરીઝનું લાઈવ ડેમો પણ આપવામાં આવ્યું.
આ અંગે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં OSSIના પ્રમુખ અને બેરિયાટ્રિક સર્જનએ ડો. રનદીપ વાધવાન,બેરિયાટ્રિક મુખ્ય સર્જન ડો. મહેન્દ્ર નારવરિયા, CIGIS હોસ્પિટલના બેરિયાટ્રિક સર્જન ડો. મેહુલ વિકાણી હાજર રહ્યા હતા અને માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટભરના 100થી વધુ ડોકટરો - ફિઝિશિયન્સ, ગાયનેકોલોજિસ્ટ્સ, એન્ડોક્રાયનોલોજિસ્ટ્સ અને સર્જન્સ- એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મુખ્ય ઉદ્દેશ મોટાપાને ગંભીર વૈજ્ઞાનિક બીમારી તરીકે માન્યતા આપવી અને આધુનિક સારવાર વિકલ્પો વિશે મેડિકલ ફ્રેટરનિટી વચ્ચે જાગૃતિ લાવવી.
શૈક્ષણિક સત્રો પછી સ્લીવ ગાસ્ટ્રેક્ટોમી, રૂ-એન-વાય ગેસ્ટ્રિક બાયપાસ, અને સ્લીવ પ્લસ જેવી સર્જરીઝનું લાઈવ પ્રદર્શન કરાયું. જે ઉપસ્થિત ડોકટરો માટે લાઈવ ટ્રાન્સમિશન સાથે વિગતવાર ટિપ્પણીઓ અને ચર્ચાઓ સાથે રજૂ કરવામાં આવ્યું.
ડો. રનદીપ વાધવાન, OSSIના પ્રમુખ અને બેરિયાટ્રિક સર્જનએ જણાવ્યું,મોટાપા હવે ફક્ત જીવનશૈલી સંબંધિત સમસ્યા નથી - તે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વંધ્યત્વ જેવી અનેક બીમારીઓ સાથે સંકળાયેલ માન્ય તબીબી રોગ છે. આ કાર્યક્રમ દ્વારા અમારું લક્ષ્ય ખોટા મંતવ્યો દૂર કરી, બેરિયાટ્રિક સર્જરીના વિજ્ઞાન આધારિત અને સલામત વિકલ્પ તરીકેના ફાયદા દર્શાવવાનું હતું.
ડો. મહેન્દ્ર નારવરિયા, બેરિયાટ્રિક સર્જરીના આગેવાન અને મુખ્ય ફેકલ્ટી એ જણાવ્યું કે અમે આજે જે ત્રણેય સર્જરીઝ કરી, તે દરેક વ્યક્તિની જરૂરિયાત મુજબની વ્યક્તિગત યોજનાનું પ્રદર્શન છે. આ લઘુત્તમ ઘાટની સર્જરીઝ જીવન બદલાવનારી હોય છે - અને આવાં કાર્યક્રમો અન્ય તબીબી ક્ષેત્રના સહયોગીઓ માટે અંધારું દૂર કરે છે."
ડો. મેહુલ વિકાણી, CIGIS હોસ્પિટલના બેરિયાટ્રિક સર્જન એ જણાવ્યું કે "આ CME ફક્ત સર્જરીની ચર્ચા નહોતી - પરંતુ મોટાપાના આરોગ્ય પરના વ્યાપક અસરો અને સમયસર રેફરલના મહત્વ પર કેન્દ્રિત હતી. 100થી વધુ ડોકટરોની ઉપસ્થિતિ અને સક્રિય ભાગીદારી એ દર્શાવે છે કે આપણે એકસાથે દર્દીઓ માટે વધુ મજબૂત સ્વાસ્થ્ય વ્યવસ્થાની રચના કરી શકીએ.
ડો કાર્તિક સુતરીયા એ જણાવ્યું કે હવે આ સમસ્યા રાજકોટ સૌરાષ્ટ્રમા ખૂબ વધી રહી છે આથી અમે મોટા નિરાકરણ અર્થે આધુનિક સાધનોથી સજ્જ ઓપરેશન સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છીએ. જેથી લોકો ને ઘર આંગણે જ સારવાર મળી શકે. મોટાપા થી પીડિત લોકોને હાર્ટ ની તકલીફ બી.પી ડાયાબીટીસ જેવા રોગો થવાની સંભાવના વધી જાય છે. આ સમસ્યા થી બચવા આ ઓપરેશન કરવું જરૂરી જેથી લોકોનું આયુષ્ય 10 વર્ષ વધી જાય છે. #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy