રાજકોટ, તા.21
રાઠોડ પરિવારના કુળદેવી ચામુંડા માતાજી તથા શ્રી સુરાપુરા શ્રી બાવલબાપા તથા સર્વે સુરાપુરા દાદાના આર્શીવાદ સુરાપુરા બાવલબાપાના સાનિધ્યમાં સવંત ર081 ચૈત્રવદ 1ર શુક્રવાર તા. રપ-4-2025 ના શુભ દિવસે શ્રી વિરપુરૂષ સુરાપુરા શ્રી બાવલબાપાનો દિવ્ય યજ્ઞ તથા સર્વે રાઠોડ પરીવારનું સ્નેહ મીલન તથા મહાઆરતી તથા લોકડાયરોનું ભવ્ય આયોજન શ્રી સુરાપુરા બાવલબાપાધામ ખારચીયા (સાતહનુમાનજી) તા. જસદણ ખાતે કરેલ છે.
આ ધાર્મિક ઐતીહાસીક કાર્યક્રમમાં સમસ્ત રાઠોડ પરીવાર તથા સગાસ્નેહીજન તેમજ સર્વે મીત્રમંડળ સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. તા. 25-04-2025ના બપોરે 12.00 કલાકે સમસ્ત રાઠોડ પરીવારની હાજરીમાં બીડું હોમવામાં આવશે.
સમસ્ત રાઠોડ પરીવારનું સ્નેહ મિલન, નવા વિકાસ કામ બપોરે 3.00 કલાકે, શ્રી બાવલા બાપાની સાંજે 6 કલાકે મહાઆરતી અને રાત્રે 9.30 કલાકે રંગ કસુંબલ લોડ ડાયરો રાખેલ છે. જેમાં કલાકાર મહેશભાઈ ગઢવી (ભૂરા ભગત),લોક સાહિત્યકાર ઘુવીર ખાચર,લોક ગાયીકા જાગૃતીબેન મોહેલ, ભજનિક શ્યામ ક્રિષ્ના દાસ રમઝટ બોલાવશે.
આ તકે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ મેર, તાલુકા ભાજપ મહામંત્રી જસદણ કલ્પેશભાઇ વાવડીયા, કિશાન જસદણ તાલુકા યુવા પ્રમુખ વિનુભાઈ પરમાર, સાત હનુમાન ખારચીયા સરપંચ મગનભાઈ ભૂરાભાઈ ચોવટીયા ખાસ ઉપસ્થિત રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy