નવી દિલ્હી, તા.28
પહલગામ હુમલા પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે. શશિ થરૂરે કહ્યું, મને લાગે છે કે તે ખૂબ જ સ્પષ્ટ છે કે એક પેટર્ન છે. લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે, શસ્ત્રો અને તકો આપવામાં આવે છે અને સરહદ પારથી નિર્દેશિત કરવામાં આવે છે. ફરી પાકિસ્તાન તમામ જવાબદારી નકારે છે. વિદેશી ગુપ્તચર એજન્સીઓ સહિતની જવાબદારી સ્થાપિત અને સાબિત થઈ છે.
શશિ થરૂરે ધ્યાન દોર્યું કે, 2016નો ઉરી હુમલો અને 2019ના પુલવામા હુમલા પછી ભારત તરફથી બદલાની કાર્યવાહી કરવામાં આવી હતી, અને સૂચન કર્યું કે પાકિસ્તાનને આ વખતે ભારત તરફથી વધુ મજબૂત જવાબનો સામનો કરવો પડી શકે છે. તિરૂવનંતપુરમના સાંસદે વધુમાં કહ્યું કે, ઉરી પછી, સરકારે સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઈક કરી અને પુલવામા પછી, બાલાકોટમાં હવાઈ હુમલા કર્યા.
આજે, મને લાગે છે કે આપણે આનાથી ઘણું વધારે જોવા જઈ રહ્યા છીએ. એ સ્પષ્ટ છે કે, આપણી પાસે અનેક વિકલ્પો છે, રાજદ્વારી, આર્થિક, ગુપ્ત માહિતી શેરિંગ, ગુપ્ત અને ખુલ્લેઆમ કાર્યવાહી કોઈ પ્રકારનો સ્પષ્ટ લશ્કરી પ્રતિભાવ અનિવાર્ય છે.
શશિ થરૂરે વધુમાં કહ્યું કે, દેશ આની માંગણી કરી રહ્યો છે અને અપેક્ષા રાખી રહ્યો છે. તે શું હશે, ક્યાં હશે અથવા ક્યારે હશે તે કોઈને ખબર નથી. પરંતુ મને ખાતરી છે કે કેટલીક પ્રતિક્રિયા હશે, થરૂરે પણ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટો-ઝરદારીની ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અંગેની "લોહી વહી જશે" ટિપ્પણીનો જવાબ આપ્યો.
સાંસદ શશિ થરૂરે સિંધુ જળ સંધિને સ્થગિત કરવા પર પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ માત્ર ઉશ્કેરણીજનક રેટરિક છે. જો રક્તપાત વધશે, તો તે કદાચ આપણા કરતાં તેમની બાજુમાં વધુ વહેશે. તેમણે કહ્યું કે, અમારી પાસે પાકિસ્તાન વિરૂદ્ધ કોઈ ષડયંત્ર નથી, પરંતુ જો તેઓ કંઈક કરશે તો જવાબ માટે તૈયાર રહેવું જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy