અડધી સદીમાં બે પરમાણુ રાષ્ટ્રો વચ્ચેનું યુદ્ધ: ભારતનો હાથ સ્પષ્ટપણે ઉપર રહ્યો છે: પશ્ચિમી અખબારો

પાક. તબાહ જ થયુ છે : અમેરિકી અખબારોએ પોલ ખોલી

World | 15 May, 2025 | 12:11 PM
♦ ન્યુયોર્ક ટાઈમ- વોશિંગ્ટન પોષ્ટમાં પેન્ટાગોન સહિતના નિષ્ણાંતોનો સ્પષ્ટ અભિપ્રાય: પાકના તમામ હવાઈ મથકો પર હુમલો કરવાની રણનીતિ સફળ રહી: સેટેલાઈટ-ઈમેજ-વિડીયોનું વિશ્લેષણ કર્યુ
સાંજ સમાચાર

♦ પાકની અંદર સુધી છેક વડાપ્રધાન ઓફિસ પર ભારતીય વિમાનો ઘુમ્યા: કરાચી બંદરથી 100 કી.મી. દુરનું એરબેઝ પણ નિશાન બન્યુ: ભારતીય સૈન્યની સટીક કાર્યવાહી પર ફીદા

નવી દિલ્હી: 
ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાએ ફકત 72 કલાકમાંજ જે રીતે પાકિસ્તાનના હવાઈ અડ્ડા સહિતની લશ્કરી તાકાતને તોડી પાડીને જે ખોફ ઉભો કર્યો તેનાથી ડરી અમેરિકાના શરણે પહોંચીને યુદ્ધ વિરામ મેળવનાર પાકિસ્તાનની પોલ-આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલવા લાગી છે અને અમેરિકાના પ્રતિષ્ઠીત ન્યુયોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોષ્ટે અમેરિકી સંરક્ષણ મથક પેન્ટાગોનના પુર્વ નિષ્ણાંતોને ટાંકીને આપેલા અહેવાલમાં જણાવ્યું છે કે ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાન લગભગ હારી જ ગયુ હતું.

અમેરિકા અને પાકિસ્તાન એવા જુઠાણા ફેલાવે છે કે વેપારનો મુદો છેડીને ભારતને યુદ્ધ વિરામ કરવા ફરજ પાડવામાં આવી હતી પણ વાસ્તવિકતા હવે ખુદ અમેરિકી અખબારો જ ખુલી કરી રહ્યા છે. પાક એવો દાવો કર્યા કરે છે કે તેના કોઈ એરબેઝને નુકશાન થયુ નથી પણ વોશિંગ્ટન પોષ્ટે લખ્યું છે કે ભારતના હુમલામાં પાકના ઓછામાં ઓછા છ એરબેઝને ભારે નુકસાન થયું હતું.

આ અખબારે લગભગ બે ડઝન સેટેલાઈટ ઈમેજ તથા તેના વિગતોના આધારે આ માહિતી આપી છે. ભારતના હુમલામાં પાક હવાઈદળના લડાયક વિમાનો માટેના ત્રણ હેંગર (ગેરેજ) બે રનવે અને બે મોબાઈલ ટાવર ધ્વંશ થયા હતા.

કિંગ્સ કોલેજ લંડનના આંતરરાષ્ટ્રીય સંબંધો અંગેના પ્રોફેસર અને દક્ષિણ એશિયાઈ સુરક્ષા બાબતોના નિષ્ણાંત વોલ્ટર લેંડવીનને ટાંકીને અખબારે જણાવ્યું છે કે, 1971 બાદ પાક હવાઈદળને આ સૌથી મોટુ નુકશાન પહોંચવુ પડયુ છે.

આ ઉપરાંત કોન્ટેસ્ટેન્ડ ગ્રાઉન્ડના ભૂ-સ્થાનિક વિશ્લેષક વિલિયમ ગુંડહીંડના જણાવ્યા મુજબ ભારતે વર્તુળ સટીક ચોકકસ પ્રકારે હુમલા કર્યા છે અને પાકની હવાઈ ક્ષમતાને ગંભીર રીતે નુકશાન પહોંચાડયું છે. આ ઉપગ્રહ ઈમેજ મારફત તેઓએ આપી છે.

મિલીટ્રી કોલેજના પુર્વી એશિયાઈ બાબતોના નિષ્ણાંત જેફરી લુઈસે પણ સ્વીકાયુ છે કે પાકના હવાઈ મથકોને નુકશાન થયું છે. યુનિ. ઓફ અલ્બાનીમાં એસોસીએટેડ પ્રોફેસર અને ભારત-પાક યુદ્ધ પર પુસ્તક લખી ચુકેલા કિસ્ટોફર કલેચીએ કહ્યું કે સેટેલાઈટ ઈમેજ દર્શાવે છે કે ભારતીય સેનાએ પુર્વ પાકમાં હવાઈ મથકને ભારે નુકશાન પહોચાડયુ છે.

જો યુદ્ધ આગળ વધ્યુ હોય તો તે વિનાશકારી સ્થિતિ બની હોય. વલ્કુના અખબાર ડોન પણ સ્વીકારે છે કે શેખ જાયદ વિમાની મથકની રોયલ લોંજે લગભગ તૂટી પડી છે. પાકના તમામ હવાઈ મથકો પર હુમલો કરવો તે ભારતની એક મહત્વપૂર્ણ લશ્કરી વ્યુહરચના બની ગઈ હતી. ભારત અગાઉ પાક કબ્જાના કાશ્મીર સુધી જ મર્યાદીત હુમલા કરતુ હતું.

ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં ભારત-પાકનું આ મીની યુદ્ધ બે અણુ રાષ્ટ્રો વચ્ચે છેલ્લી અડધી સદી (50 વર્ષ)નું આ વ્યાપક લશ્કરી ઓપરેશન હતુ અને સેટેલાઈટ તસ્વીરો બતાવે છે કે હવાઈ હુમલામાં ભારતનો હાથ ચોકકસપણે ઉપર રહ્યો છે.

ખાસ કરીને પાકના કરાચી બંદરથી 100 માઈલ દુર ભોલારી એરબેજ પર હુમલો ભારે નુકસાન કરી ગયો અને નુરખાન પરનો હુમલો એ પાકના સૌથી સંવેદનશીલ મથક પર આક્રમણ હતું.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj