નવીદિલ્હી,તા.28
સુપ્રિમ કોર્ટની ટિકા કરી આવેલા ભાજપનાં સાંસદ દુબેએ કહ્યું કે ભારત પાકિસ્તાન દ્વારા કબજે કરાયેલ કાશ્મીર પાછું લઈ લેશે અને પાકિસ્તાન ચાર નવા દેશોમાં વિભાજીત થઈ જશે. તેમણે કહ્યું, ’પહલો દેશ બલુચિસ્તાન, બીજો પશ્તુનિસ્તાન, ત્રીજો પંજાબ અને ચોથો સિંધ હશે.’
તેમણે વધુમાં કહ્યું કે, જો 2025 સુધીમાં આવું નહીં થાય તો જનતા ભાજપ પર ખોટા આશ્વાસનો આપવાનો આરોપ લગાવી શકે છે. દુબેએ તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ’ગેરંટી અને વિશ્વાસ’ ગણાવ્યો, જેના કારણે મોદી ત્રીજી વખત વડા પ્રધાન બન્યા છે.
નિશિકાંત દુબેએ પહેલગામ આતંકવાદી હુમલાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો. તેમણે કહ્યું કે સદભાગ્યે ભારતનું નેતૃત્વ એક મજબૂત પ્રધાનમંત્રીના હાથમાં છે, દુબેએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ આતંકવાદીઓની જમીન છીનવી લેવાની જાહેરાત કરી છે, જેના કારણે આતંકવાદીઓમાં ભયનો માહોલ છે.
સાંસદ દુબેએ કહ્યું કે, લશ્કર-એ-તૈયબા બાંગ્લાદેશની વચગાળાની સરકારના સંપર્કમાં છે, તેથી ભારત-બાંગ્લાદેશ સરહદની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે 1996માં કોંગ્રેસ સરકાર દ્વારા કરાયેલા ગંગા જળ કરારને મોટી ભૂલ ગણાવી.
દુબેએ તિસ્તા અને બ્રહ્મપુત્ર જળ વિવાદ પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા દ્વારા આપવામાં આવેલા નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો.
દુબેએ કહ્યું કે આપણે ક્યાં સુધી સાપને પાણી પીવડાવતા રહીશું?’ હવે આ સાપોને કચડી નાખવાનો સમય આવી ગયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના નેતૃત્વમાં દેશ આતંકવાદ સામે નિર્ણાયક પગલાં લેશે અને આ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy