પટણા તા.9
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો છે અને ભારતીયોમાં દેશભકિતનું ઝનુન ઉતર્યું છે. ભારતે પાકિસ્તાન પર કરેલી સ્ટ્રાઈકને ઓપરેશન સિંદુર નામ આપ્યું છે ત્યારે દેશભકિતથી પ્રેરિત થઈને પરિવારો નવજાત સંતાનોનાં નામ સિંદુર રાખવા લાગ્યા છે.
બિહારના જ્ઞુઝપરપુર જીલ્લામાં 12 નવજાતના નામ ‘સિંદુર’ રાખવામાં આવ્યા છે. જયારે કટીહારમાં જન્મેલી એક બાળકીનું નામ ‘સિંદુરી’ રાખવામાં આવ્યું છે. આ નામ દેશભકિત તથા લાગણીશીલ એકતા સુચવે છે.
ભારતની સ્ટ્રાઈકનાં સમયગાળામાં જ આ બાળકીનો જન્મ થયો છે બાળકી મોટી થાય ત્યારે સૈન્યમાં સામેલ કરવાની માતા-પિતાએ મહેચ્છા દર્શાવી હતી. મુઝફરપુર ચંપારણ જેવા જીલ્લાઓમાં નવજાત બાળકોનાં આ નામ રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.
ખાનગી હોસ્પીટલનાં તબીબ ડો.સિધ્ધાર્થે કહ્યુ કે બાળક હોય કે બાળકી નામ સિંદુર જ રાખવામાં આવ્યું છે આ નામને દેશનું ગૌરવ ગણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy