જામનગર તા.26
જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ લોકોમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. આ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડવા હુકમ કર્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ કોઈ કારણસર આવેલ લોંગ ટર્મ વિઝા વાળા 438, જ્યારે શોર્ટ ટર્મ વિઝાવાળા 7 પાકિસ્તાનીઓને પરત મોકલવા જણાવાયું છે. જામનગરમાં પણ 31 પાકિસ્તાનીને પરત ફરવા કવાયત આદરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
જામનગર, ગુજરાતમાં પણ કોઈના કોઈ કારણસર જે પાકિસ્તાની નાગરિકો આવ્યા છે તેમને પરત પાકિસ્તાન મોકલવાની કવાયત તેજ કરી દેવાઈ છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ પાકિસ્તાની નાગરિકો પાસે લોંગ ટર્મ વિઝા હોવાનું સામે આવ્યું છે.
જમ્મુ કાશ્મીર આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી ઘરભેગા થવા આદેશ કર્યો હતો. ગુજરાતમાં પણ કોઈ કારણસર જે પાકિસ્તાની નાગરિકો આવ્યા છે તેમને પરત પાકિસ્તાન મોકલવાની કવાયત તે જ કરી દેવામાં આવીે છે.
ગુજરાતમાં લોંગ ટર્મ વીઝા ધરાવતા 438 પાકિસ્તાની નાગરિકો અને શોર્ટ ટર્મ વિઝા ધરાવતા 07 પાકિસ્તાની નાગરિકો હાલ ગુજરાતમાં હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી જામનગર જિલ્લામાં પણ જુદા જુદા વિસ્તારમાં પાકિસ્તાની નાગરિકો રહેતા હોય જેમાંથી 31 નાગરિકોની યાદી તૈયાર કરાઈ છે. જોકે તમામ લોંગ ટર્મ વાળા હોવાનું જાણવા મળી રહ્યું છે. 31 પાકિસ્તાની નાગરિકો જામનગર અને ત્રણ નાગરિકો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોવાની વાત સામે આવી છે. આવા નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy