વેરાવળ: રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં યોજાયેલ "પોલિયો રસીકરણ અભિયાન" અંતર્ગત 0 થી 5 વર્ષના અસંખ્ય બાળકોને પોલિયો વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું.
વેરાવળના ભીડીયા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળા ખાતે વિસાવાડીયા ભાવનાબેન, ખુંટડ પુષ્પાબેન, ગોસ્વામી નીતા અને તન્ના જોષનાબેન સહિતના સ્ટાફ દ્રારા બાળકોને પોલિયોનાં ટીપાં પિવડાવામાં આવ્યા હતા.
બાકી રહેલા બાળકોને આરોગ્ય-કર્મી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની દ્વારા ઘરે-ઘરે જઈને પોલિયોનાં બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા. (તસ્વીર: મીલન ઠકરાર વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy