પ્રિ - સ્કૂલ રજિસ્ટ્રેશનની મુદ્દત હજૂ નહીં લંબાવાતા સંચાલકોની હાલત કફોડી

Gujarat | Ahmedabad | 19 February, 2025 | 10:33 AM
શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલી મૌખીક બાંહેધરીનું પણ પાલન થયુ નથી : પગલા લેવા માંગણી
સાંજ સમાચાર

અમદાવાદ,તા.19
પ્રિ-સ્કૂલ રજિસ્ટ્રેશનને લઈને શિક્ષણ વિભાગનું નરોવા કુંજરોવાનું વલણ સંચાલકોને અકળાવી રહ્યું છે.16 ફેબ્રુઆરીના રોજ રજિસ્ટ્રેશનની મુદ્દત પૂર્ણ થયા બાદ હજુ સુધી મુદ્દત લંબાવવા અંગે કોઈ નિર્ણય કરાયો નથી.ઉપરાંત સંચાલકોને આપેલી બાંહેધરી અનુસાર કોઈ જ રાહતો હજુ સુધી અપાઈ નથી.

બીજી બાજુ રાજયની માત્ર 400 જેટલી જ પ્રિ-સ્કૂલોનું રજિસ્ટ્રેશન થયું છે ત્યારે મુદ્દત પૂર્ણ થવા પછી પણ રજિસ્ટ્રેશનનું પોર્ટલ ચાલુ રાખવામાં આવ્યું છે.આમ, આ તમામ બાબતો પ્રિ-સ્કૂલ સંચાલકોમાં વધુ મુંઝવણ ઉભી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજયમાં આવેલી પ્રિ-સ્કૂલોના રજિસ્ટ્રેશનની મુદ્દત 16 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયા બાદ હજુ સુધી મુદ્દત લંબાવવા અંગે કોઈ નિર્ણય કરાયો નથી જો કે, બીજી બાજુ શિક્ષણ વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન માટેના પોર્ટલને ચાલુ રાખ્યું છે.

મુદ્દત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં રાજયની 400 જેટલી પ્રિ-સ્કૂલોની નોંધણી થઈ હતી. અને બાકીની પ્રિ-સ્કૂલોની નોંધણી બાકી હતી.દરમિયાન, મુદ્દત વધારા સહિતના વિવિધ પ્રશ્નોને લઈને મંગળવારના રોજ ફરી એકવાર પ્રિ-સ્કૂલો એસો.ના 35 પ્રતિનિધિઓની ટીમ ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રીને મળવા માટે પહોંચી હતી.

જો કે ગઈકાલે મંગળવારના રોજ મતગણતરી હોવાથી મંત્રી સાથે મુલાકાત થઈ શકી ન હતી અને હવે આગામી દિવસથી વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યુ હોવાથી પણ મુલાકાત શકય ન જણાતા મંત્રીઓના સહાયકો સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી.

જેથી આ વિષય હજી સરકારમાં ચર્ચામાં છે અને ઉપલા લેવલે ચર્ચા ચાલી રહી હોવાનું જણાવી પોતાનો હાથ અદ્ધર કરી દીધા હતા.અધિકારીઓ દ્વારા પણ ફાઈલ નીકળી ગઈ છે, પ્રક્રિયામાં છે તેમ કહી ગોળગોળ જવાબો આપ્યા હોવાનું એસો.દ્વારા જણાવાયું હતું.

એસો.સાથે શિક્ષણ વિભાગની 1 જાન્યુઆરી 2025ના રોજ મળેલી મિટીંગમાં મૌખિક બાંહેધરી આપવામાં આવ્યા બાદ હજુ સુધી તે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોવાથી સંચાલકોની સ્થિતિ કફોડી બની છે.રાજયની હજારો પ્રિ-સ્કૂલોનું રજિસ્ટ્રેશન થયું ન હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે અંધકાર ઉભું થવાની શકયતા છે.

ઉપરાંત પ્રિ-સ્કૂલોનું સંચાલક કરતી અનેક મહિલાઓ પ્રિ-સ્કૂલો બંધ થશે તો રસ્તા પર આવી જશે,આમ આ મુદ્દે સરકારે વહેલી તકે યોગ્ય જવાબ આપી નિકાલ લાવવો જોઈએ તેવી માંગણી પ્રિ-સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj