◙ સેનાને વડાપ્રધાનની ખુલ્લી છુટ બાદ પાકિસ્તાન સામે નિર્ણાયક પગલાની તૈયારી
નવીદિલ્હી,તા.30
પહેલગામમાં હિન્દુ સહેલાણીઓની હત્યાના પગલે ત્રાસવાદ મોરચે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તનાવ અને પાકને હવે કાયમી બોધપાઠ આપવા અને મોદી સરકારની તૈયારીઓનો ધમધમાટ આજે દિલ્હીમાં જોવા મળ્યો હતો.
ગઈકાલે સૈન્યને ખુલ્લી છુટ આપ્યા બાદ રાત્રીના કાશ્મીર સહિતની સરહદોએ ભારતના અતિ આધુનિક રાફેલ વિમાનોએ ભારતીય સીમામાં ઉડાન ભરીને પાકિસ્તાનના સ્પષ્ટ સંદેશો મોકલ્યો હતો.
ચાર રાફેલ વિમાનોએ સમગ્ર કાશ્મીર સરહદે ભારતીય હવાઈ સીમામાં ઉડાન ભરી હતી તો બીજી તરફ દિલ્હીમાં આજે પ્રથમ વખત વોર કેબીનેટની બેઠક મળી છે. અને તેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે અને જેના પર હવે ગમે તે ઘડીએ જાહેરાત થશે.
સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળ સલામતી બાબતેની કેબીનેટ બેઠક મળી હતી બાદમાં પોલીટીકલ અફેર્સ અને ત્યારબાદ ઈકોનોમીક અફેર અંગેની કેબીનેટ બેઠક મળી હતી અને હવે તેમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાતો થશે.
વડાપ્રધાન મોદી-અમીત શાહ-મોહન ભાગવત વચ્ચે દોઢ કલાક બેઠક
પાક સાથેના તનાવ વચ્ચે સંઘ વડા રાત્રીના વડાપ્રધાન નિવાસે પહોંચ્યા
નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં પહેલગામ હુમલાના પગલે સર્જાયેલા ઘટનાક્રમમાં ગઈકાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સતાવાર નિવાસે પહોંચ્યા હતા અને અહી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ હાજર હતા. શ્રી ભાગવત સાત
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy