રાજકોટ, તા.21
ભારત દેશમાં "વન નેશન વન ઈલેક્શન"ની નીતિનો અમલ કરવા ઠરાવ કરાયો છે. ભારતીય ચુંટણી પ્રણાલિકા અને તેની પદ્ધતિથી જયારે ભારતના નાગરિક સભાન છે. ત્યારે આપણા દેશમાં વારંવાર આવતી ચુંટણીમાં રીસોર્સનો થતો દુરૂપયોગ, ચુંટણીમાં વ્યથિત થતો સમય, આચારસંહિતાને કારણે વિકાસની કામગીરીમાં આવતી રૂકાવટ જેવા નકારાત્મક પરિબળોને કાબુમાં લઇ રાષ્ટ્રીય સંસાધનનો સદુપયોગ રાષ્ટ્રના હિતમાં કરવામાં આવે તો નવા ભારતનું સ્વપ્ન જરૂર સાકાર થઇ શકે.
આથી આપણા ભારત જેવા લોકશાહી દેશના સશક્તિકરણ માટે વન નેશન વન ઈલેક્શન"ની નીતિ માટે થયેલ દરખાસ્તને રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ આવકારે છે. તે માટે સમિતિના તમામ સાભ્યોએ બહાલી આપી હતી.
આ તકે જ્ઞાતિ ટ્રસ્ટ પ્રમુખ ઈશ્વરભાઈ ઘાટલીયા, કારોબારી પ્રમુખ મનસુખભાઈ તલસાણીયા, ઉપપ્રમુખ અનિલભાઈ ચૌહાણ, મંત્રી સુરેશભાઈ ચૌહાણ, ખજાનચી કાંતિલાલ પરમાર, ભાવેશભાઈ ગોરવાડીયા, દલસુખભાઈ મુંડિયા, મહેન્દ્રભાઈ કુરિયા, મનસુખભાઈ ચાંગડીયા, નારણભાઈ પ્રજાપતિ, મહેન્દ્રભાઈ મચ્છોયા, વિનોદભાઈ ગોરવાડીયા, જેન્તીભાઈ ખોખર, રમણીકભાઈ ગોરવાડીયા, સહિતના તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy